________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
-
ચૌદ ગુણસ્થાનક
૪૩૫
છે. અધ્યવસાયોની સમાનતા હોય છે. પરંતુ આ અવસ્થાનો કાળ માત્ર એક અંતર્મુહૂર્ત હોય છે. શબ્દવ્યુત્પત્તિ આ પ્રમાણે છે : બાદર એટલે સ્થૂળ. સંપરાય એટલે કષાયોદય. સ્થૂલ કષાયોદય નિવૃત્ત ન થયો હોય, તેવી આત્માવસ્થાનું નામ અનિવૃત્તિબાદર સંપ૨ાય ગુણસ્થાનક.
આ ગુણસ્થાનકે પ્રથમ સમયથી આરંભી પ્રતિસમય અનંતગુણ-વિશુદ્ધ અધ્યવસાયસ્થાનો હોય છે. એક અન્તર્મુહૂર્તમાં જેટલા સમયો હોય તેટલા અધ્યવસાયસ્થાનો આ ગુણસ્થાન-પ્રાપ્ત જીવોના હોય.
આ ગુણસ્થાનકે બે પ્રકા૨ના જીવો હોય : (૧) ક્ષપક, અને (૨) ઉપશમક. ૧૦. सूक्ष्म संपराय गुणस्थानक :
સૂક્ષ્મ લોભકષાયોદયનું આ ગુણસ્થાનક છે; અર્થાત્ અહીં લોભનો ઉપશમ થાય અથવા ક્ષય કરવામાં આવે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
११. उपशान्तकषाय वीतराग छद्मस्थ- गुणस्थानक :
સંક્રમણ-ઉધર્તના-અપવર્તના... વગેરે કરણો દ્વારા કષાયોને વિપાકોદયપ્રદેશોદય બંને માટે અયોગ્ય બનાવી દેવામાં આવે છે; અર્થાત્ કષાયોનો એવો ઉપશમ કરી દેવામાં આવે છે કે અહીં ન તેનો વિપાકોદય આવે કે ન પ્રદેશોદય આવે.
આ ગુણસ્થાનકે જીવના રાગ અને દ્વેષ એવા શમી ગયા હોય છે કે ‘વીતરાગ’ કહેવાય છે. ઉપશાન્તકષાયી વીતરાગ હોય છે.
૧૨. ક્ષીખષાયવીતરાગ-છદ્મણ્ય-ગુસ્થાનળ :
'क्षीणाः कषाया यस्य सः क्षीणकषायः । '
આત્મામાં અનાદિ કાળથી રહેલા કષાયોનો અહીં સર્વથા ક્ષય થઈ જાય છે. ૧૩. સોનીવેવલી-મુનસ્થાન :
'केवलं ज्ञानं दर्शनं च विद्यते यस्य सः केवली ।'
જેને કેવળજ્ઞાન અને કેવળદર્શન હોય તે કેવળી,
'सह योगेन वर्तन्ते ते सयोगा-मनोवाक्कायाः ते यस्य विद्यन्ते सः सयोगी । ' મન-વચન-કાયાના યોગોથી સહિત હોય તે સયોગી કહેવાય.
For Private And Personal Use Only