________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૩૪
www.kobatirth.org
જ્ઞાનસાર
પ્રમાદનો નાશ થવાથી આત્મા વ્રત-શીલ...આદિ ગુણથી અલંકૃત અને જ્ઞાન-ધ્યાનની સંપત્તિથી શોભાયમાન બને છે.
50
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८. अपूर्वकरण गुणस्थानक :
અભિનવ પાંચ પદાર્થોના નિર્વર્તનને ‘અપૂર્વકરણ' કહેવામાં આવે છે. એ પાંચ પદાર્થો આ છે : (૧) સ્થિતિઘાત, (૨) રસધાત, (૩) ગુણશ્રેણિ, (૪) ગુણસંક્રમ, અને (૫) અપૂર્વ સ્થિતિબંધ.
(૧) સ્થિતિઘાત : જ્ઞાનાવરણીયાદિ કર્મોની દીર્ઘ સ્થિતિનું અપવર્તનાકરણથી અલ્પીકરણ.
(૨) રસઘાત : કર્મ-પરમાણુઓમાં રહેલી સ્નિગ્ધતાની પ્રચુરતાને અપવર્તનાકરણથી અલ્પ કરવી.
આ સ્થિતિઘાત અને ૨સઘાત પૂર્વેના ગુણસ્થાનકોના જીવ પણ કરે છે. પરંતુ તે ગુણસ્થાનકોએ વિશુદ્ધિ અલ્પ હોવાથી સ્થિતિઘાત અને રસઘાત અલ્પ કરે છે; અહીં વિશુદ્ધિનો પ્રકર્ષ હોવાથી અતિ વિશાળ-અપૂર્વ કરે છે.
(૩) ગુણશ્રેણિ : એવાં કર્મદલિકો કે જેનો ક્ષય દીર્ઘ કાળે થવાનો હોય, તે કર્મદલિકોને અપવર્તનાકરણથી વિશુદ્ધિના પ્રકર્ષ દ્વારા નીચે લાવે, અર્થાત્ એક અંતર્મુહૂર્તમાં ઉદયાવલિકાના ઉપ૨, જલદી ખપાવવા માટે, પ્રતિક્ષણ અસંખ્ય ગુણવૃદ્ધિથી તે દલિકોની રચના કરે.
(૪) ગુણસંક્રમ : બંધાતી શુભ-અશુભ કર્મપ્રકૃતિમાં અબધ્યમાન શુભાશુભ કર્મદલિકોને, પ્રતિક્ષણ અસંખ્ય ગુણવૃદ્ધિથી નાખવા.
(૫) અપૂર્વ સ્થિતિબંધ : અશુદ્ધિવશ પૂર્વે કર્મોની દીર્ઘ સ્થિતિ જીવ બાંધતો હતો, હવે વિશુદ્ધિ દ્વારા કર્મોની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે હીન-હીનતર-હીનતમુ બાંધે છે.
९. अनिवृत्तिबादर संपराय - गुणस्थानक :
એક કાળે-સમાનકાળે આ ગુણસ્થાનકે આવેલા સર્વ જીવોનાં અધ્યવસાયસ્થાનો સમાન હોય; અર્થાત્ આત્માની આ એવી એક અનુપમ ગુણ-અવસ્થા છે કે આ અવસ્થામાં રહેલા સર્વ જીવોના ચિત્તની એક-સમાન સ્થિતિ હોય
૬૦. અપૂર્વ-મિનવં રળ-સ્થિતિષાત-રસધાત-ગુણશ્રે]િળસંમ-સ્થિતિવધાનાં पञ्चानां पदार्थानां निर्वर्तनं यस्यासौ अपूर्वकरणः । - प्रवचनसारोद्वारे
For Private And Personal Use Only