________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૦
જ્ઞાનસાર
થોદ ગુણકથાનક આત્મગુણોની ઉત્તરોત્તર વિકાસ-અવસ્થાઓને “ગુણસ્થાનક' કહેવામાં આવે છે. તે અવસ્થાઓ ચૌદ છે. ચૌદ અવસ્થાઓના અંતે આત્મા ગુણોથી પરિપૂર્ણ બને છે.
ગુણવિકાસની આ અવસ્થાઓનાં નામ પણ તે તે અવસ્થાને અનુરૂપ આપવામાં આવેલાં છે. (૧) મિથ્યાત્વ, (૨) સાસ્વાદન, (૩) મિશ્ર, (૪) સમ્યગ્દર્શન, (૫) દેશવિરતિ, (૬) પ્રમત્ત શ્રમણ, (૭) અપ્રમત્ત (૮) અપૂર્વકરણ (૯) અનિવૃત્તિ, (૧૦) સૂક્ષ્મ લોભ, (૧૧) શાન્તમોહ, (૧૨) ક્ષીણમોહ, (૧૩) સર્યાગી, અને (૧૪) અયોગી.
હવે અહીં એક-એક ગુણસ્થાનકનું સ્વરૂપ સંક્ષેપમાં જોઈએ : १. मिथ्याद्रष्टि गुणस्थानक :
તાત્ત્વિક દૃષ્ટિએ જે પરમાત્મા નથી, જે ગુરુ નથી, જે ધર્મ નથી, તેને પરમાત્મા-ગુરુ અને ધર્મ માનવા, તે મિથ્યાત્વ. પરંતુ આ વ્યક્તિ મિથ્યાત્વ કહેવાય છે. મોહરૂપ અનાદિ-અવ્યક્ત મિથ્યાત્વ તો જીવમાં સદા છે, વાસ્તવમાં મિથ્યાત્વ એ ગુણ નથી, છતાં “ગુણસ્થાનક' કહેવામાં આવ્યું છે, તે વ્યક્ત મિથ્યાત્વની બુદ્ધિને અનુલક્ષીને. “વ્યmમિથ્યાત્વીકારસ્થાનતયોધ્યતે !' - વ્યક્તમિથ્યાત્વની પ્રાપ્તિને ગુણસ્થાન કહેવાય છે. મિથ્યાત્વનો પ્રભાવ :
મદિરાના નશામાં ચકચૂર મનુષ્ય જેવી રીતે હિતાહિતને નથી જાણતો, તેવી રીતે મિથ્યાત્વથી મોહિત જીવ ધર્મ-અધર્મને સમજતો નથી, વિવેક કરી શકતો નથી, ધર્મને અધર્મ અને અધર્મને ધર્મ માની લે છે. २. सास्वादन-गुणस्थानक :
પ્રથમ “ઔપથમિક સભ્યત્વ પ્રાપ્ત કર્યા પછી અનન્નાનુબન્ધિ કષાયોમાંથી કોઈ એક પુનઃ ઉદિત થતાં જીવ સમ્યક્તના શિખર પરથી ગબડે છે... પરંતુ
પ૬, ૮ મેં ત્યાગઅષ્ટક, લોક ૭. ૧૭, TUJસ્થાનમારો' કરો . સ્મોક; -૩-૪-૫
For Private And Personal Use Only