________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૯
જ્ઞાનસાર-પરિશિષ્ટ
ત્રીજા સમયે રવૈયા (મન્થાન) રૂપ બનાવે. ચોથા સમયે આંતરાઓ પૂરીને સંપૂર્ણ ૧૪ રાજલોકવ્યાપી બની જાય. પપાંચમા સમયે આંતરાઓને સંહરી લે. છઠ્ઠા સમયે મંથાનને સંહરી લે. સાતમા સમયે કપાટને સંહરી લે.
આઠમા સમયે દંડને પણ સમેટી લઈ આત્મા શરીરસ્થ બની જાય. 3. યોનિરોધ :
સમુદ્ઘાતથી નિવૃત્ત કેવળી ભગવાન “યોગનિરોધના માર્ગે વળે છે. યોગ (મન, વચન, કાયા) નિમિત્તે થતા બંધનો નાશ કરવા માટે યોગનિરોધ કરવામાં આવે છે. આ ક્રિયા અન્તર્મુહૂર્તકાળમાં કરવામાં આવે છે. | સર્વ પ્રથમ બાદરકાયયોગના બળથી બાદરવચનયોગને રોધે. પછી બાદરકાયયોગના આલંબને બાદરમનોયોગને રોધે. પછી ઉચ્છવાસ-નિઃશ્વાસને રાધે. ત્યારબાદ સૂક્ષ્મ કાયયોગથી બાદરકાયયોગને રોધે. (કારણ કે જ્યાં સુધી બાદરયોગ હોય ત્યાં સુધી સૂક્ષ્મયોગો રોધી શકાતા નથી.)
ત્યાર પછી સૂક્ષ્મ કાયયોગથી સૂક્ષ્મ વચનયોગને રોધે અને પછીના સમયે સૂક્ષ્મ મનોયોગને રોધે. ત્યારબાદના સમયે સૂક્ષ્મ કાયયોગને રોધે.
સૂક્ષ્મ કાયયોગને રાંધવાની ક્રિયા કરતો આત્મા-સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી' નામના શુક્લધ્યાનના ત્રીજા ભેદ પર આરૂઢ થાય, અને ૧૩માં ગુણસ્થાનકના ચરમ સમયપર્યત જાય.
સયોગીકેવળી ગુણસ્થાનકના ચરમ સમયે (૧) સૂમ ક્રિયા અપ્રતિપાતી ધ્યાન, (૨) સર્વ કિઠ્ઠિઓ, (૩) શાતાનો બંધ, (૪) નામગોત્રની ઉદીરણા, (૫) શુક્લ વેશ્યા, (ક) સ્થિતિ-રસનો ઘાત, અને (૭) યોગ-આ સાતેય પદાર્થોનો એક સાથે નાશ થાય છે, અને આત્મા અયોગીકેવળી બને છે.
५५. संहरति पंचमे त्वन्तराणि मन्थानमथ पुनः षष्ठे।
सप्तमके तु कपाटं संहरति ततोऽष्टमे दण्डम् ।।२७५ ।। - प्रशमरतिप्रकरणे
For Private And Personal Use Only