________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૮
જ્ઞાનસાર
૪. અમૂઢતા : તપસ્વી વિદ્યાવંત કુતીર્થિકની ઋદ્ધિ દેખી ચલિત ન થવું. ૫. પવૃંદા : સાધર્મિક જીવોના દાન-શીલાદિ સદ્ગુણોની પ્રશંસા કરી તેના સદ્ગુણોની વૃદ્ધિ કરવી.
૬. ચિરીર : ધર્મમાં ચલચિત્ત જીવોને હિત-મિત-પથ્ય વચનોથી ધર્મમાર્ગમાં પુનઃસ્થિર કરવા.
૭. વાત્સત્ય : સાધર્મિકોની ભોજન-વસ્ત્રાદિ દ્વારા ભક્તિ, સન્માન.
૮. પ્રમાવના : ધર્મકથા, વાદીવિજય, દુષ્કર તપ વગેરે કરવા દ્વારા જિનપ્રવચનનો ઉદ્યોત કરવો. (જો કે જિનપ્રવચન સ્વયં શાશ્વત્, જિનભાષિત અને સુરાસુરથી નમસ્કૃત હોવાથી ઉદ્યોતીત જ છે, તો પણ પોતાના દર્શનની નિર્મલતા માટે પોતાના કોઈ વિશેષ ગુણ દ્વારા લોકોને પ્રવચન તરફ આકર્ષવા.) રૂ. चारित्राचार :
પાંચ સમિતિ (ઈર્યા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાનભંડમત્ત નિક્ષેપણા સમિતિ અને પારિષ્ઠાપનિકા સમિતિ) તથા ત્રણ ગુપ્તિ (મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ) દ્વારા મન-વચન-કાયાને ભાવિત રાખવા.
૪. તપાવાર :
અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા-આ છ બાહ્ય તપ દ્વારા આત્માને તપાવવો. (આ છ પ્રકારના તપ બાહ્ય એ માટે કહેવાય છે કે – (૧) બાહ્ય એવા શરીરને તપાવનાર છે; (૨) બાહ્ય-લોકમાં
-
‘તપ’ તરીકે પ્રસિદ્ધ છે. (૩) કુતીર્થિકોએ સ્વમતથી સેવેલ છે.)
પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય અને ધ્યાન, આ પ્રકારના આપ્યંતર તપથી આત્માને વિશુદ્ધ કરવો.
૩. વીર્યાવાર :
ઉપરોક્ત ચાર આચારમાં મન-વચન-કાયાનું વીર્ય (શક્તિ) ફોરવીને સુંદર ધર્મપુરુષાર્થ કરવો.
આ રીતે પંચાચારનું નિર્મળ પાલન કરનાર આત્મા મોક્ષમાર્ગ તરફ પ્રગતિ કરે છે અને મોક્ષપ્રાપ્તિ કરે છે.
For Private And Personal Use Only