________________
Shri Mahavir Jain Aradhana Kendra
5786
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર
શરીરે લકવા પડી જાય તો? સાધુજીવન તો સ્વાશ્રયી જીવન છે. પોતાનાં કામ પોતે જ કરવાનાં હોય છે. પાદવિહાર કરવાનો અને ગોચરીથી જીવનનિર્વાહ ક૨વાનો હોય છે. જો ઇન્દ્રિયોને ક્ષતિ પહોંચે તો સાધુના આચારોને પણ ક્ષતિ પહોંચે જ,
કર્તવ્યો અને ઇન્દ્રિયોની સુરક્ષાનું લક્ષ તપસ્વીએ ચૂકવું ન જોઈએ. મનને દુર્ધ્યાનથી બચાવવું જોઈએ. આ સાવધાની ખાસ કરીને બાહ્ય તપની આરાધના કરવા માટે છે. અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા- આ છ પ્રકારનું બાહ્ય તપ કરનારે ઉ૫૨ની ત્રણ સાવધાની રાખવાની છે.
સાવધાનીના નામે પ્રમાદ ન પોષાઈ જાય એની પણ સાવધાની રાખવી જોઈએ.
मूलोत्तरगुणश्रेणि-प्राज्यसाम्राज्यसिद्धये ।
बाह्यमाभ्यन्तरं चेत्थं तपः कुर्यान्महामुनिः ।। ८ ।। २४८ ।।
અર્થ : મૂળગુણ અને ઉત્તરગુણની શ્રેણીરૂપ વિશાળ સામ્રાજ્યની સિદ્ધિ માટે મોટા મુનિ બાહ્ય અને અંતરંગ તપ કરે.
વિવેચન : મુનીશ્વરને પણ સામ્રાજ્ય જોઈએ. રાજેશ્વરના સામ્રાજ્ય કરતાં વિલક્ષણ, વિશાળ અને વ્યાપક!
એ સામ્રાજ્ય છે મૂળગુણોનું અને ઉત્તરગુણોનું.
મૂળગુણો છે સમ્યગ્ જ્ઞાન, દર્શન અને ચારિત્ર. મૂળગુણો છે પાંચ મહાવ્રતો: પ્રાણાતિપાત-વિરમણ મહાવ્રત, મૃષાવાદ-વિરમણ મહાવ્રત, અદત્તાદાનવિરમણ મહાવ્રત, મૈથુન-વિરમણ મહાવ્રત અને પરિગ્રહ-વિરમણ મહાવ્રત.
ઉત્તરગુણો છે : પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ. દશ પ્રકારનો શ્રમણધર્મ અને બાર પ્રકારના તપ. ટૂંકમાં કહીએ તો ચરણસિત્તર અને કરણસિત્તરિએ મુનીશ્વરનું સામ્રાજ્ય છે! એ સામ્રાજ્યની સિદ્ધિ માટે મુનીશ્વર તપશ્ચર્યા કરે. બાહ્ય તપ કર, અને આત્યંતર તપ કરે.
એ છઠ્ઠ-અઠ્ઠમ... અઠ્ઠાઈ માસખમણ જેવું અનશન-તપ કરે. જ્યારે આહાર કરે ત્યારે ભૂખથી ઓછું ખાય. જેમ બને તેમ ઓછાં દ્રવ્યો વાપરે. રસભરપૂર વાનગીઓનો ત્યાગ કરે. કાયાને કષ્ટ આપે, અર્થાત્ ઉગ્રવિહાર કરે. ગ્રીષ્મ કાળમાં મધ્યાહ્નના સૂર્ય સામે દૃષ્ટિ લગાવીને આતાપના કરે. શીતકાળમાં
For Private And Personal Use Only