________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( તપ )
વાસનાઓ પર રોષે ભરાયેલો યોગી શરીર પર રોષે ભરાય છે અને તપથી શરીર પર તૂટી પડે છે!
ભલા, તપથી શરીર શાને તૂટી પડે છે? શરીર એ તો સાધનાનું સાધન છે. વાસનાઓ શેતાન છે, શરીર નહીં. માટે તપનું નિશાન વાસનાઓ જોઈએ, શરીર નહીં. આ પ્રકરણમાં ગ્રંથકાર આપણને આ વિવેકદૃષ્ટિ આપે છે. ઇન્દ્રિયોને નુકસાન થાય તેવું તપ કરવાની મનાઈ કરે છે.
બાહ્ય તપની ઉપયોગિતા આત્યંતર તપની પ્રગતિમાં વર્ણવે છે. આત્યંતર તપને આત્મવિશુદ્ધિનું સાધન બતાવે છે.
હે તપસ્વીઓ અને તપના અર્થીઓ! આ અષ્ટક તમારે મનનપૂર્વક વાંચવું પડશે.
(૩૧)
For Private And Personal Use Only