________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન
૩૬૭ અરિહંતને ધ્યેય બનાવીને અંતરાત્મા ધ્યાન ધરે. ધ્યાન એટલે એકાગ્રતાની બુદ્ધિ, સજાતીય જ્ઞાનની ધારા, અન્તરાત્મા ધ્યેયરૂપ અરિહંતમાં એકાગ્ર બની જાય. અરિહંતનાં દ્રવ્ય, ગુણ અને પર્યાય તે સજાતીય જ્ઞાન છે. દ્રવ્યથી અરિહંતનું ધ્યાન, ગુણથી અરિહંતનું ધ્યાન અને પર્યાયથી અરિહંતનું ધ્યાન ધરવાનું. ધ્યાનશતક' માં ધ્યાનનું સ્વરૂપ બતાવાયું છે :
जं थिरमज्झवसाणं तं झाणं चलं तयं चित्तं।
तं होज्ज भावणा वा अणुप्पेहा वा अहव चिंता ।। અધ્યવસાય એટલે મન. સ્થિર મન એ જ ધ્યાન. ચંચળ મનને ચિત્ત કહેવાય. તે ધ્યાનની ક્રિયા ભાવના, અનુપ્રેક્ષા કે ચિંતન રૂપ હોય.
હે જીવ! તું અંતરાત્મા બન. તું વિભાવદશામાંથી નિવૃત્ત થા. સ્વભાવદશા તરફ વળ. આત્માથી પર... આત્માથી ભિન્ન દ્રવ્યો તરફ જોવાનું બંધ કર, અર્થાતુ જડ દ્રવ્યો ને તેના પર્યાયોને આધારે રાગદ્વેષ કરવાના બંધ કર. જ્યાં સુધી તું બહિરાત્મદશામાં ભટક્યા કરીશ ત્યાં સુધી ધ્યેયરૂપ પરમાત્મામાં તું એકાગ્ર નહીં બની શકે. માટે અત્તરાત્મા બન. અત્તરાત્મા જ એકાગ્ર બની શકે, પરમાત્મસ્વરૂપની એકાગ્રતા બહિત્માના ભાગ્યમાં છે જ નહીં.
હે આત્માનું જો તું સમ્યગુ દષ્ટિ છે, તો તું ધ્યેયમાં લીન બની શકે. પરંતુ અત્તરાત્મા નથી અને માત્ર સમ્યમ્ દષ્ટિ હોવાનો દાવો જ કરે છે, તો તું એકાગ્ર ન બની શકે, ધ્યેયનું ધ્યાન ન ધરી શકે. સમ્યગુ દર્શન સાથે અત્તરાત્મદશા હોવી જ જોઈએ.
અરિહંતના વિશુદ્ધ અને પરમ પ્રભાવક આત્મદ્રવ્યનું ધ્યાન ધર. એમના અનન્તજ્ઞાનાદિ ગુણોનું ચિંતન કર, એમના અષ્ટ પ્રાતિહાર્ય વગેરે પર્યાયોનું ધ્યાન ધર, અરિહંત-પુષ્પની ચારે કોર ગુંજારવ કરતો ભ્રમર બની જા. અરિહંત સિવાય તને કંઈ ગમે નહીં. અરિહંત સિવાય ક્યાંય જવું નહીં. તારી માનસિક સૃષ્ટિમાં અરિહંત સિવાય કોઈ ન હોય! આ છે બાતા, ધ્યાન અને ધ્યેયની સમાપત્તિ!
मणाविव प्रतिच्छाया समापत्तिः परात्मनः ।
क्षीणवृत्ती भवेद् ध्यानादन्तरात्मनि निर्मले ।।३।।२३५ ।। અર્થ : મણિની જેમ, ક્ષણવૃત્તિવાળા શુદ્ધ અત્તરાત્મામાં ધ્યાનથી પરમાત્માનું પ્રતિબિંબ હોય (પડે) (તેને) સમાપત્તિ કહી છે.
For Private And Personal Use Only