________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ધ્યાન
મુનિજીવનમાં ધ્યાનનું સ્થાન કેવું મહત્ત્વપૂર્ણ છે, એ વાત આ અષ્ટકમાં વાંચો. ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતામાં મુનિને દુઃખ ન હોય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરંતુ ધ્યાતા જિતેન્દ્રિય, ધીર, પ્રશાન્ત અને સ્થિર હોવો જોઈએ. આસનસિદ્ધ અને પ્રાણાયામપ્રવીણ જોઈએ. આવો ધ્યાતા મુનિવર ચિદાનન્દની મસ્તી અનુભવે છે, પરમ બ્રહ્મનો આનંદ અનુભવે છે.
કલ્પનાઓ, વિકલ્પો ને વિચારોથી મુક્ત થઈ જાઓ. વિચારોના ભારથી મનને દાબી ન દો. પાર્થિવ જગતથી તમારા મનને મુક્તિ આપો. નિર્બંધન બની ધ્યેય સાથે એકતા સાધો. ધ્યાનના આ પ્રકરણનો ચિંતનપૂર્વક અભ્યાસ કરો.
30
For Private And Personal Use Only