________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર सन्ध्येव दिनरात्रिभ्यां केवलश्रुतयोः पृथक् ।
बुधैरनुभवो द्रष्टः केवलार्कारुणोदयः ।।१।१२०१ ।। અર્થ : જેમ દિવસ અને રાત્રિથી સંધ્યા જુદી છે, તેમ કેવળજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી ભિન્ન કેવળજ્ઞાનરૂપ સૂર્યના અરુણોદય સમાન અનુભવ, જ્ઞાની પુરુષોએ દીઠો છે.
વિવેચન : અહીં એ અનુભવની વાત નથી, જેને ઘણી વાર મનુષ્ય કહે છે : મારો આ અનુભવ છે, અનુભવની વાત કહું છું.” આવું બોલનારો મનુષ્ય તો ભૂતકાળમાં પોતાના જીવનમાં બનેલી ઘટનાઓને “અનુભવ' કહી રહેલો હોય છે. સામાન્ય માનવીની મતિ ન સમજી શકે એવા “અનુભવ” ની વાત અહીં ગ્રંથકારે કરેલી છે.
એક સમયે મને એક સગૃહસ્થ મળ્યા. સાત્વિક પ્રકૃતિના હતા. પ્રતિદિન ધ્યાન” પણ કરતા. તેમણે મને કહ્યું :
મને ધ્યાનમાં ઘણા અવનવા અનુભવ થાય છે.” “કેવા કેવા અનુભવ થાય છે?” મેં પૂછ્યું.
“અરે, ક્યારેક તો લાલ લાલ રંગો જ માત્ર દેખાય છે. ક્યારેક શ્રી પાર્શ્વનાથ ભગવંતની પ્રતિમા દેખાય છે, ક્યારેક હું કોઈ અજાણ્યા પ્રદેશમાં જ પહોંચી જાઉં છું...” તેમણે કહ્યું અને તેમને ધ્યાન-કાલમાં સ્કુરેલા વિચારો.... સિદ્ધાન્તો વગેરેનું “આત્માનુભવ' કહીને વર્ણન કર્યું. આવા અનુભવો પણ અહીં ગ્રંથકારને અભિપ્રેત નથી! પ્રસ્તુતમાં તો “અનુભવ-જ્ઞાન' ગ્રંથકાર સ્પષ્ટ કરવા ચાહે છે. તેને સમજાવવા માટે કહે છે :
સંધ્યા તમે જોઈ છે? સંધ્યાને તમે શું દિવસ કહેશો? ના. તો શું રાત્રિ કહેશો? ના. દિવસ અને રાતથી સંધ્યા જુદી છે. તેમ અનુભવ એ નથી. શ્રુતજ્ઞાન કે નથી કેવળજ્ઞાન! શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાનથી અનુભવ જુદો છે... હા, કેવળજ્ઞાનની વધુ નિકટ જરૂર છે. સૂર્યોદય પૂર્વે અરુણોદય થાય છે ને? બસ, અનુભવને આપણે કેવળજ્ઞાનરૂપ સૂર્યોદય પૂર્વેનો અરુણોદય કહી શકીએ. અર્થાત્ ત્યાં મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમથી ઉત્પન્ન થતા ચમત્કાર નથી, બુદ્ધિ-મતિની કલ્પનાસૃષ્ટિ નથી, શાસ્ત્રજ્ઞાનના અધ્યયન-ચિંતનમનનમાંથી પેદા થતાં રહસ્યોનો અવબોધ નથી. “મારી બુદ્ધિમાં આમ સમજાય છે,” કે “અમુક શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યું છે,” અથવા “મને તો અમુક શાસ્ત્રનું આ રહસ્ય સમજાય છે' - આ બધું “અનુભવ” થી સાવ પર છે. અનુભવ તર્કથી ખૂબ ઊંચી સપાટી પર છે. અનુભવ શાસ્ત્રોના જ્ઞાન નીચે દબાયેલો
For Private And Personal Use Only