________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૦
શાનિસાર (૨) વિધવાઓને ફરી પરણવાની છૂટ જોઈએ! (૩) છોકરા-છોકરીઓ સાથે ભણે, તેમાં શું વાંધો! (૪) સિનેમા જવાથી મનોરંજન થાય છે. (૫) સંસારમાં રહીને પણ ધર્મ થાય છે...મોક્ષ મળે છે.
આ બધી માન્યતાઓ લોકસંજ્ઞામાં આવે છે! મુનિ આ બધી માન્યતાઓના પ્રવાહમાં તણાય નહીં, પરંતુ એના ઊંધા જ પ્રવાહ ચાલે! નીડરતાપૂર્વક ચાલે...એ આવી વાતોમાં લોકોની પરવા ન કરે. એ તો જિનેશ્વર ભગવંતે બતાવેલા મોક્ષમાર્ગને જ અનુસરે. ભગવંતની વાતો કરતાં પોતાની બુદ્ધિને કદીયે વધુ મહત્ત્વ ન આપે. એ લોકપ્રવાહમાં ઊભો રહી, લોકોની અજ્ઞાનતાને દૂર કરે, મોહને દૂર કરે. એમને સત્ય મોક્ષમાર્ગ બતાવવા નિરંતર પુરુષાર્થ કરે.
મુનિ તો રાજહંસ છે... એ મોતીનો જ ચારો ચરે. ઘાસ એ ન ખાય..કાદવ એ ન ચૂંથે! કાદવ ચૂંથતા અને ઘાસ ખાતા જીવો પ્રત્યે કરુણા ઊભરાય. તેઓને તેમાંથી મુક્ત કરવા પ્રયત્ન કરે, એમના ભેગો ન બેસી જાય.
અજ્ઞાન જીવોની વાતો સાંભળીને ઝટ એમાં “મg' મારવાની કુટેવને છોડી દેવી જોઈએ. તેથી મુનિજીવનની મર્યાદામાં રહી શકાશે, અને મોક્ષમાર્ગની આરાધનામાં આગળ વધી શકાશે. લોકસંજ્ઞા ત્યજવા માટે નિઃસ્પૃહતા, નીડરતા અને નિર્ભયતા જોઈએ, તે બધાંના મૂળમાં જ્ઞાનદષ્ટિ જોઈએ.
लोकमालम्ब्य कर्तव्यं कृतं बहुभिरेव चेत् ।
तदा मिथ्यादशां धर्मो न त्याज्य: स्यात् कदाचन ।।४।।१८०।। અર્થ : લોકને અવલંબીને જો ઘણા માણસોએ જ કરેલું કરવા યોગ્ય હોય તો મિથ્યાષ્ટિઓનો ધર્મ કદી પણ તજવાયોગ્ય ન હોય.
વિવેચન : જેમની દૃષ્ટિ સ્વચ્છ ન હોય, જેમની દષ્ટિ નિરાગ્રહી ન હોય, જેમની પાસે “કેવળંજ્ઞાન” નો પ્રકાશ ન હોય, જેમના રાગ અને દ્વેષ દૂર ન થયા હોય... તેવાં જીવોએ પોતાની બુદ્ધિના બળે, થોડાં ભક્તોના બળે અને થોડી
For Private And Personal Use Only