________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્ણતા સંસાર પરિભ્રમણનો અર્ધપુદ્ગલ પરાવર્તથી પણ ન્યૂનકાળ બાકી રાખે છે, ત્યારે તેને શુક્લ પક્ષનો ચન્દ્ર કહેવામાં આવે છે.
આત્માની ચૈતન્ય અવસ્થા પૂર્ણાનંદની કલાથી ત્યારે શોભે છે કે જ્યારે આત્મા શુક્લ પક્ષમાં પ્રવેશે છે. આપણો આત્મા શુક્લ પક્ષમાં પ્રવેશ્યો છે કે નહિ તે જાણવા માટે પાંચ લક્ષણો તપાસવાં જોઈએ : (૧) શ્રદ્ધા (૨) અનુકંપા (૩) નિર્વેદ (ભવવિરાગ) (૪) સંવેગ (મોક્ષપ્રીતિ) (૫) પ્રશમ, આ પાંચ લક્ષણો ઓછાવત્તા પ્રમાણમાં દેખાય તો તેના પરથી સમજી શકાય કે આપણે શુક્લ પક્ષમાં પ્રવેશ કર્યો છે.
શ્રી દશાશ્રુતસ્કંધ ચૂર્ણિમાં-સંસારપરિભ્રમણનો એક પુગલ પરાવર્તકાળ બાકી રહે ત્યારથી શુક્લ પક્ષ કહેવામાં આવ્યું છે. “જિરિયાવાડી fયના भव्वओ नियमा सुक्कपक्खिओ, अतो पुग्गलपरियट्टस्स नियमा सिज्झिहिति, સદા વા fમેરિડા વા રોન્ગો’ આ હિસાબે સમ્યક્ત ન હોય છતાં જો આત્મવાદી છે, તો તે શુક્લપક્ષમાં છે. અને તે એક પુદ્ગલ પરાવર્તકાળમાં અવશ્ય મોક્ષે જનાર છે. આત્માના અસ્તિત્વ પર શ્રદ્ધા વિના તો આત્મગુણોની પૂર્ણતાનો આનંદ જ ક્યાંથી અનુભવી શકાય?
For Private And Personal Use Only