________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૫
લોકસંશાત્યાગ
प्राप्त: षष्ठं गुणस्थानं भवदुर्गादिलङ्घनम् ।
નોરંજ્ઞારતો ન બુનિર્ણાવકોત્તર સ્થિતિઃ II9T199છો! અર્થ : સંસારરૂપ વિષમ પર્વતનું ઉલ્લંઘન છે જેમાં, એવા છઠ્ઠા ગુણસ્થાનકને પ્રાપ્ત થયેલો, લોકોત્તર માર્ગમાં સ્થિતિ જેની છે એવો સાધુ, લોકસંજ્ઞામાં પ્રીતિવાળો ન હોય. વિવેચન : મુનિરાજ, તમે કોણ છો?
તમે તમારા વ્યક્તિત્વને નિહાળશો, પછી “લોકસંજ્ઞા'માં તમને પ્રીતિ નહીં થાય! જુઓ, અહીં તમારી ઉચ્ચ આત્મસ્થિતિ બતાવવામાં આવી છે.
(૧) તમે છઠ્ઠા ગુણસ્થાનકે છો. (૨) લોકોત્તર માર્ગમાં રહેલા છો.
“હું છઠ્ઠા ગુણસ્થાનકે રહેલો છું' - આ વાત સદેવ સ્મૃતિપટ પર અંકિત રહેવી જોઈએ... “મેં પહેલાં પાંચ ગુણસ્થાનક વટાવી દીધેલાં છે, એટલે હવે મારાથી કુદેવ-કુગુરુ-કુધર્મ તરફ શ્રદ્ધાની દૃષ્ટિથી જોવાય પણ નહીં; મારાથી દહીં-દૂધિયા પણ ન થવાય... હું મિશ્ર ગુણસ્થાનકે નથી! “જિનોક્ત તત્ત્વો જ સાચાં', એવી મારી દૃઢ માન્યતા હોવી જોઈએ.. હું ગૃહસ્થ નથી... એટલે ગૃહસ્થ જેવું મારું વર્તન ન હોવું જોઈએ. હું અણુવ્રતી નથી, પરંતુ મહાવ્રતી છું. બાર વ્રતધારી શ્રાવક પણ સર્વ પાપોને ત્રિવિધે-ત્રિવિધે ત્યજી શકતો નથી, જ્યારે મેં સર્વ પાપોને ત્રિવિધ ત્રિવિધ (મન-વચન-કાયાથી, કરવેકરાવવું-અનુમોદવું) ત્યજી દીધાં છે. મારા માટે એવા જ આત્માઓનો સંપર્ક હિતકારી છે કે જેમણે મારી જેમ સર્વ પાપોને ત્રિવિધે-ત્રિવિધે ત્યજી દીધાં છે... પાપોના ત્યાગ સાથે મેં સમ્યગ્ દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના કરવાની, દેવ-ગુરુ અને સંઘની સાક્ષીએ, આત્માની અનુભૂતિથી પ્રતિજ્ઞા કરી છે. એટલે મારે એવા જ ઉત્તમ આત્માઓનો સહવાસ પસંદ કરવો જોઈએ કે જેઓ સમ્યગુજ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધનામાં ઓતપ્રોત
હોય.'
મહામુનિ, તમારે આ રીતે વિચારવું જોઈએ, જેથી તમે પાપોમાં આસક્ત અને મિથ્યા કલ્પનામાં મસ્ત જીવોના સહવાસથી, પરિચયથી અને એમને ખુશ કરવાની વૃત્તિથી બચી જશો. “હું લોકમાર્ગમાં રહેલો નથી, હું તો લોકોત્તર માર્ગ પર ચાલી રહ્યો છું.
For Private And Personal Use Only