________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભવોર્ટુગ
૨૭૩
ચિંતન આમ અનેક રીતે કરવાનું તેઓશ્રી કહે છે ભવની અસારતા સમજાયા વિના ભવનાં વૈયિક સુખોની આસક્તિ ન તૂટે; ભવનો રાગ તૂટ્યા વિના ભવનાં બંધનો તોડવાનો મહાન પુરુષાર્થ ન થાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
கை
પરંતુ તે માટે ભવસ્વરૂપના ચિંતનમાં ડૂબી જવું પડે, તન્મય બની જવું પડે, ભવસાગરનાં કાંઠે જઈને એ સાગરની ભયંકરતા જોજો. ભવસ્મશાનના એક ખૂણે ઊભા રહી, એ સ્મશાનની રુદ્રતા જોજો. ભવ-કારાગારના સળિયા પાસે ઊભા રહી કારાગારની વેદનાઓ જોજો. ભવકૂપના કાંઠે ઊભા રહી કૂવાની ભયજનકતા જોજો. તમે ચીસ પાડી ઊઠશો...તમારે અંગે-અંગે પસીનો છૂટી જશે... તમે થરથર ધ્રૂજી ઊઠશો. ‘ઓ અરિહંત... ઓ વીતરાગ...' કરતા એ અનંત કૃપાનિધિના શરણે જશો.
For Private And Personal Use Only
-