________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તિવંદષ્ટિ)
દૃષ્ટિ એવી સૃષ્ટિ' - આ વાક્ય સહુ બોલે છે, પણ દૃષ્ટિ બદલીને સૃષ્ટિનું નૂતન સર્જન કરવા કોણ તૈયાર થાય છે? કઈ દૃષ્ટિએ આપણને ભવભ્રમણામાં ભટકાવ્યા છે ને કઈ દષ્ટિ એ ભવભ્રમણામાંથી આપણો ઉદ્ધાર કરી શકે? કઈ દૃષ્ટિ આપણને પરમ આનંદ તરફ લઈ જાય અને કઈ દૃષ્ટિ વિષયાનંદની ગટરના ભુંડ બનાવે? આ સમજવા આ અષ્ટકને તમે ખૂબ સ્વસ્થ, બનીને વાંચજો.
-
For Private And Personal Use Only