SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાનસાર ऐन्द्रश्रीसुखमग्नेन लीलालग्नमिवाखिलम् । सच्चिदानन्दपूर्णेन पूर्ण जगदवेक्ष्यते ।।१।। અર્થ : ઇન્ડસંબંધી લક્ષ્મીના સુખમાં મગ્ન થયેલા પુરુષ વડે જેમ સર્વ જગત સુખમાં મગ્ન થયેલું દેખાય છે, તેમ સત્-ચિતુ-આનંદથી પૂર્ણ યોગી વડે જ્ઞાન-દર્શનચારિત્રથી પૂર્ણ જગત દેખાય છે. વિવેચન : સુખી જીવ જેમ બધાને સુખી જાણે છે તેમ પૂર્ણ આત્મા સહુને પૂર્ણ જાણે છે. સંત-તિ-આનં૦ થી પરિપૂર્ણ આત્મા વિશ્વના તમામ જીવોમાં પણ સ-ચિ-ગાનંદ્ર ની પૂર્ણતાનું દર્શન કરે છે. આ સત્ય હકીકત પૂર્ણ સુખની પરિશોધ કરવા માટે પુરુષાર્થ કરતા આત્માને બે મહત્ત્વની વાતો સમજાવે છે : આ સમગ્ર ચેતનસુષ્ટિમાં સ-વિત-માનઃ ની પૂર્ણતાનું દર્શન કરવા દ્રષ્ટાએ સ–વિ–આનં૮ ની પૂર્ણતા પ્રાપ્ત કરવી જોઈએ. આ સમગ્ર ચેતન સૃષ્ટિમાં જો રાગ-દ્વેષમય દર્શનનો અંત લાવવો હોય તો ચેતનસૃષ્ટિમાં પૂર્ણતાનું દર્શન કરવાનો પુરુષાર્થ આરંભવો જોઈએ. જ્યાં સુધી જીવાત્મા અપૂર્ણ છે ત્યાં સુધી સકલ વિશ્વની ચેતન સૃષ્ટિમાં તે પૂર્ણતાનું દર્શન નહિ કરી શકે; પરંતુ એ દિશામાં પુરુષાર્થ જરૂર કરી શકે. અર્થાત્ પૂર્ણતાના અંશનું દર્શન તો જરૂર કરી શકે. પૂર્ણતાના અંશનું દર્શન એટલે ગુણનું દર્શન. દરેક જીવમાં કોઈને કોઈ ગુણનું દર્શન કરવું જોઈએ. દરેક જીવમાં અનંત અનંત ગુણો રહેલા છે. આપણી ગુણદૃષ્ટિ જેમ જેમ સૂક્ષ્મ બનતી જશે તેમ તેમ તે ગુણો આપણને દેખાવા માંડશે. ગુણદૃષ્ટિ વિના ગુણ જોઈ શકાતા નથી. સ્વર્ગના ઐશ્વર્યમાં મસ્ત બનેલો દેવેન્દ્ર જેમ સકલ વિશ્વને સુખમાં ગરકાવ થયેલું સમજે છે, તેમ ગુણદષ્ટિવાળો આત્મા સકલ વિશ્વને ગુણમય સમજે છે. જેમ જેમ ગુણદૃષ્ટિ વિકસે છે તેમ તેમ રાગદૃષ્ટિ અને દ્રષદૃષ્ટિ સંકોચાતી જાય છે, તેથી રાગટ્રષ્ટિ અને દ્વેષરષ્ટિમાંથી જાગતી અશાંતિ...ક્લેશ.. સંતાપો વિરામ પામતા જાય છે. એના સ્થાને ગુણદષ્ટિમાંથી શાંતિ-સ્વસ્થતા અને પ્રસન્નતાનો આવિર્ભાવ થાય છે. पूर्णता या परोपाधेः सा याचितकमण्डनम् । या तु स्वाभाविकी सैव जात्यरत्नविभानिभा ।।२।। અર્થ: પરવસ્તુના નિમિત્તથી જે પૂર્ણતા છે તે માગી લાવેલાં ઘરેણાં સમાન છે; For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy