________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬
જ્ઞાનસાર - આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણે બાહ્યાત્મા છીએ? અંતરાત્મા છીએ કે પરમાત્મા છીએ? હા, આપણે પણ જાણી શકીએ, જુઓ આ રહી જાણવાની પદ્ધતિ : છેજો આપણામાં વિષય અને કષાયોની પ્રચુરતા છે, તત્ત્વો તરફ અશ્રદ્ધા
છે, ગુણો પ્રત્યે દ્વેષ છે... આત્માનું જ્ઞાન નથી... તો સમજવું કે આપણે બાહ્યાત્મા' છીએ, પહેલા ગુણસ્થાનક છીએ. જો આપણામાં તત્ત્વશ્રદ્ધા પ્રગટી છે, અણુવ્રત-મહાવ્રતોથી જીવન સંયમિત છે, મોહને ઓછા-વત્તા અંશે વશ કર્યો છે.. વશ કરવાનો પુરુષાર્થ ચાલુ છે; તો સમજવું કે આપણે “અંતરાત્મા' છીએ અને ચોથા ગુણસ્થાનકથી
માંડી બારમાં ગુણસ્થાનક સુધીના કોઈ ગુણસ્થાનક છીએ. છે કેવળજ્ઞાન પ્રગટી ગયું હોય, યોગનિરોધ કરી દીધો હોય... સમગ્ર
કર્મોનો ક્ષય થઈ ગયો હોય... સિદ્ધશિલા પર નિવાસ થઈ ગયો હોય, તો સમજવું “પરમાત્મા” બની ગયા! તેરમા યા ચૌદમા ગુણસ્થાનકે પહોંચી ગયા!
મન શાન્ત થયા વિના, અર્થાત્ શોક-મદ-મદન-મત્સર-કલહ-કદાગ્રહવિષાદ અને વૈરવૃત્તિ... વગેરે શાન્ત થયા વિના, અવિદ્યા ભસ્મીભૂત થતી નથી... મોહ-અંધકાર દૂર થતો નથી. મન શાંત કરવું જોઈએ અને અંતરાત્મા બની પરમાત્માનું ધ્યાન કરવું જોઈએ, તો પરમાત્મદર્શન થાય. 'परमात्माऽनुध्येयः सन्निहितो ध्यानतो भवति'
- अध्यात्मसार એક શુભ આલંબનમાં મનને સ્થિર કરી, બીજું બધું વિચારવાનું છોડી દઈ... ધ્યાન ધરવામાં આવે તો મન શાન્ત થાય. શોકાદિ વિકારો ઉપશાન્ત થઈ જાય અને આત્માની સહજ જ્યોતિ પ્રકાશી ઊઠે!
शान्ते मनसि ज्योतिः प्रकाशते शान्तमात्मनः सहजम् ।
• अध्यात्मसार
૧૦. ગુણસ્થાનકનું સ્વરૂપ જુઓ પરિશિષ્ટમાં.
For Private And Personal Use Only