________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મીન
૧૩૫ જ આત્મસ્વરૂપમાં રમણતા કરવી.
આત્મા કે જે અનંતજ્ઞાનરૂપ છે, તેમાં રમણતા કરવી. છે આત્માના જ્ઞાનસ્વરૂપમાં રમણતા. નિષ્કર્ષ આ છે : આત્મજ્ઞાનમાં સ્થિરતા એ જ ચારિત્ર અને ચારિત્ર એટલે આત્મજ્ઞાનમાં રમણતા. જ્ઞાન અને ચારિત્રનો અભેદ છે.
જ્ઞાનનય (જ્ઞાનાત) આત્માના બે જ ગુણ સ્વીકારે છે : જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ. ચારિત્ર જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ રૂપ છે. તેનો અભેદ છે. આ વ્યાપારના ભેદથી જ્ઞાન ત્રિરૂપ પણ છે. જ્યાં સુધી વિષયપ્રતિભાસનો વ્યાપાર હોય ત્યાં સુધી જ્ઞાન. જ્યારે આત્મપરિણામનો વ્યાપાર થાય ત્યારે તે જ સમ્યત્વ અને જ્યારે આઅવોનો નિરોધ થવાથી તત્ત્વજ્ઞાનમાં વ્યાપાર થાય ત્યારે તે જ જ્ઞાન ચારિત્ર.
ક્રિયાનનું મંતવ્ય આ પ્રમાણે છે : આત્મસ્વરૂપનું માત્ર જ્ઞાન, એ જ ચારિત્ર અને તે જ સાધ્ય છે, એમ નથી. જીવને આત્માનું જ્ઞાન થયા પછી તદનુરૂપ ક્રિયા. તેના જીવનમાં આવવી જોઈએ.
'ज्ञानस्य फलं विरतिः' 'विरतिफलं आस्रवनिरोधः' 'संवरफलं तपोबलम्'
'तपसो निर्जरा फलं द्रष्टम् મુનિને જે ચારિત્ર સાધ્ય છે; તે માત્ર જ્ઞાનસ્વરૂપ નથી, પરંતુ જ્ઞાનના ફલસ્વરૂપ છે. જ્ઞાનનું ફલ છે વિરતિરૂપ ક્રિયા, આસ્રવનિરોધની ક્રિયા, તપની ક્રિયા અને નિર્જરાની ક્રિયા. આ ક્રિયાની પ્રાપ્તિરૂપ ચારિત્ર મુનિને સાધ્ય છે. આવા સાધ્યની સિદ્ધિ કરવાનો સખત પુરુષાર્થ કરવો જોઈએ. આ રીતે પુરુષાર્થ કરતાં સાધ્યની સિદ્ધિ કરતાં આત્મતત્ત્વ નિરાવરણ-કર્મરહિત પ્રગટ થાય ત્યારે આત્મા જ્ઞાનનયથી સાધ્ય થાય છે.
આત્માને વિષે ચાલ્યા કર, જીવ! મન, વચન અને કાયા સર્વસ્વનો વિનિયોગ આત્મા વિષે કરી દે. આત્માને કેન્દ્રમાં રાખી આત્માના વિશુદ્ધ આત્મસ્વરૂપને ખ્યાલમાં રાખી વિચાર, વાણી અને વર્તનને રાખ. આ જ ચારિત્ર છે, જ્ઞાનનય-જ્ઞાનાદ્વૈતને માન્ય આત્મજ્ઞાનને ઘટમાં રાખી, તે વિશુદ્ધ આત્મજ્ઞાનને પ્રગટ કરવાનો પુરુષાર્થ કર્યો જવો, તે બન્ને નયોનો સમૂહાત્મક ઉપદેશ છે.
For Private And Personal Use Only