________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪
ફીનસાર ન સમજે? મહાવ્રતો, અણુવ્રતો.. વગેરેના ભાવ, જ્ઞાન-દર્શન-ચારિત્રના ભાવ સુરક્ષિત રાખવા માટે જ અનંતજ્ઞાની પરમાત્મા જિનેશ્વરદેવે તપસંયમની અનેકવિધ ક્રિયાઓ બતાવી છે. | ક્રિયાઓનો ત્યાગ કરી શુભ ભાવને જગવવાની અને રક્ષવાની ઘેલી વાતો ત્યજી દો. અશુભ ક્રિયાઓથી જ અશુભ ભાવો જાગે છે ને વૃદ્ધિ પામે છે; તેવી રીતે પ્રસ્તુતમાં પણ સમજો.
गुणवृद्धयै ततः कुर्यात् क्रियामस्खलनाय वा ।
પર્વ તુ સંયમસ્થાન નિનાનામવતિતે પાછા ૭૬ ! અર્થ : તેથી ગુણની વૃદ્ધિ માટે અથવા નહિ પડવા માટે ક્રિયા કરવી જોઈએ. એક સંયમનું સ્થાનક તો કેવળ જ્ઞાનીને રહે છે.
વિવેચન : એક જ લક્ષ, એક જ ધ્યેય અને એક જ આદર્શ-ગુણવૃદ્ધિ.” પ્રત્યેક શુભ-શુદ્ધક્રિયાનું લક્ષ-બેય અને આદર્શ આત્મગુણોની વૃદ્ધિ હોવી જોઈએ. જે દુકાન ખોલીને વેપાર કરનાર વેપારી પોતાની પ્રત્યેક ક્રિયાનું લક્ષ “ધનવૃદ્ધિ' રાખે છે, જે જે માર્ગો દ્વારા તેને “ધનવૃદ્ધિ' થતી દેખાય છે, ભલેને કષ્ટભર્યા તે માર્ગો હોય, ધનવૃદ્ધિની અભિલાષાવાળો એ કષ્ટભર્યા માર્ગો પર હર્ષથી દોડી જાય છે, અને જેમ જેમ ધનની વૃદ્ધિ થતી જાય છે, તેમ તેમ તેનો પુરુષાર્થ ચોક્કસ અને દીર્ધકાલીન બનતો જાય છે. તેનો આનંદ કુદકે ને ભૂસકે વધતો જાય છે.
ધર્મની ક્રિયાત્મક સાધનાઓ એટલે “ગુણવૃદ્ધિ માટેની દુકાન છે. ક્રિયાસાધક વેપારીએ પોતાની પ્રત્યેક ક્રિયાનું લક્ષ ગુણોની વૃદ્ધિ પર રાખવાનું છે. જે જે ક્રિયા દ્વારા ગુણવૃદ્ધિ થતી દેખાય ભલે તે ક્રિયા કષ્ટભરી હોય, ગુણવૃદ્ધિની અભિલાષાવાળો સાધક તે કષ્ટભરી ક્રિયા હર્ષથી કરી લે! જેમ જેમ ગુણોની વૃદ્ધિ થતી જાય, તેમ તેમ તેનો ક્રિયાત્મક પુરુષાર્થ ચોકસાઈભર્યો અને દિર્ઘકાલીન બનતો જાય છે અને તેનો આનંદ બ્રહ્માનંદ. ચિદાનંદ બની જાય છે,
હવે અહીં કેટલીક ક્રિયાઓ લઈ, તે દ્વારા કેવી રીતે ગુણવૃદ્ધિ કરવી તેની કેટલીક મહત્ત્વપૂર્ણ વિચારણા કરીએ.
સામાયિક : આ ક્રિયાનું લક્ષ સમતા-ગુણની વૃદ્ધિનું હોવું જોઈએ. જેમ જેમ સામાયિકની ક્રિયા થતી જાય તેમ તેમ આત્માની તિજોરીમાં સમતાગુણનું
For Private And Personal Use Only