________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ બાજુ કોડામાં જશવંતને ચેન નહોતું. ગુરુદેવની સૌમ્ય અને વાત્સલ્યભરી મૂર્તિ એની નજરમાંથી ખસતી નહોતી. એનું મન ગુરુદેવના સાન્નિધ્યમાં જવા માટે તલસી રહ્યું. ખાવા-પીવામાં કે ૨મત-ગમતમાંથી એનો રસ ઊડી ગયો. એનું હૃદય ઉદાસ બની ગયું. એની આંખો રડી રહી હતી. પોતાના પ્યારા પુત્રની આ ઉત્કટ ધર્મભાવના જોઈને માત-પિતાના હૃદયમાં પણ પરિવર્તન આવ્યું. જશવંતને લઈને તેઓ નવિજયજી પાસે પાટણ પહોંચ્યાં. અને થોડાક સમય બાદ પાટણમાં જશવંતની દીક્ષા થઈ. જશવંતનું નામ પાડ્યું ‘મુનિ યશોવિજયજી.’
નાનાભાઈ પદ્મસિંહે પણ મોટાભાઈનું અનુસરણ કર્યું. એણે પણ સંસારનો ત્યાગ કરી મુનિજીવન સ્વીકાર્યું. અને પદ્મવિજય બન્યા. રામ અને લક્ષ્મણની જેમ યશોવિજયની અને પદ્મવિજયની જોડી શોભી ઊઠી. દીક્ષા લઈને બન્ને ભાઈઓ ગુરુસેવા અને જ્ઞાનાભ્યાસમાં લીન બની ગયા. દિવસ ને રાત એમનો સાધનાનો યજ્ઞ ચાલતો રહ્યો.
વિ. સં. ૧૯૯૯માં તેઓ અમદાવાદ પધાર્યા. ત્યાં ગુરુઆજ્ઞાથી એમણે જાહેરમાં જનતાને અપૂર્વ સ્મરણશક્તિનો પરિચય કરાવતા અવધાનના પ્રયોગો કરી બતાવ્યા. યશોવિજયજીની તેજસ્વી પ્રતિભા જોઈને શ્રેષ્ઠિરત્ન ધનજી સૂરા અત્યંત પ્રભાવિત થયા. ગુરુદેવ શ્રી નયવિજયજી પાસે આવીને તેમણે વિનંતિ કરી : ‘ગુરૂદેવ! શ્રી યશોવિજયજી સુોગ્ય પાત્ર છે, બુદ્ધિમાન અને ગુણવાન છે, બીજા હેમચંદ્રસૂરિ થઈ શકે એવા છે. આપ એમને કાશી મોકલો અને ષડ્દર્શનનો અભ્યાસ કરાવો.’
‘ભાગ્યવંત! તમારી વાત તો સાચી છે. હું પણ ઇચ્છું છું કે યશોવિજયજી વિદ્યાધામ કાશીમાં જઈને વધુ અધ્યયન કરે તો સારું, પણ કાશીના ભટ્ટાચાર્યે પૈસા લીધા વિના ભણાવતા નથી એ તમને ખબર છે?’
‘ગુરુદેવ! આપ એની જરાયે ચિંતા ન કરો, યશોવિજયજીને કાશી મોકલવામાં અને અધ્યયન કરાવવામાં જે કાંઈ પણ ખર્ચ થાય તેનો લાભ કૃપા કરીને મને જ આપો, મારી સંપત્તિ લેખે લાગશે. આવો લાભ મને મળે ક્યાંથી?....' અને એક દિવસ યશોવિજયજીએ કાશી તરફ પ્રયાણ કર્યું. કાશી જઈને તેમણે ષડૂદર્શનના પ્રકાંડ વિદ્વાન ભટ્ટાચાર્ય પાસે અધ્યયન શરૂ કર્યું. એ ભટ્ટાચાર્ય પાસે બીજા ૭૦૦ શિષ્યો વિવિધ શાસ્ત્રોનો અને દર્શનોનો અભ્યાસ કરતા હતા. તેજસ્વી બુદ્ધિપ્રતિભા ધરાવતા શ્રી યશોવિજયજીએ શીઘ્રગતિએ ન્યાય-વૈશેષિક, સાંખ્યયોગ, મીમાંસા, વેદાંત અને બૌદ્ધદર્શન આદિનું તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કર્યું. ‘ચિંતામણી’ જેવા ન્યાયશાસ્ત્રના મહાનગ્રન્થોનું પણ અગાવહન કર્યું. બીજી બાજુ જૈન દર્શનના
For Private And Personal Use Only