________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રિયા
“ધર્મની ક્રિયાઓ ન કરીએ તો ન ચાલે? આ પ્રશ્ન વર્ષોથી પુછાતો રહ્યો છે. પરંતુ પાપક્રિયાઓ ન કરીએ તો ન ચાલે?'-આ પ્રશ્ન પુછાતો જ નથી! કારણ? જીવને પાપ ગમે છે માટે પાપક્રિયાઓ પણ ગમે છે. ધર્મ ગમતો હોય તો ધર્મક્રિયાઓ ગમે જ. મોક્ષ ગમે તો મોક્ષ પહોંચવાની ક્રિયા ગમે જ.
ધર્મક્રિયાઓની અનિવાર્યતા અહીં ગ્રંથકાર સમજાવે છે. કેટલી તર્કસંગત વાત છે. એ સમજવા આ અષ્ટક તમારે વાંચવું જ રહ્યું.
For Private And Personal Use Only