________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૨
જ્ઞાનસાર
અહીં આપણને શ્રી ઉપાધ્યાયજી એક અભિનવ ચાંદનું દર્શન કરાવે છે! એક સદોદિત ચાંદનું દર્શન કરવાનો પ્રયોગ કરી બતાવે છે...
જુઓ... એક પણ કર્મનું વાદળું દેખાતું નથી... સ્વચ્છ સ્ફટિકમય સિદ્ધશીલાનું આકાશ છે... ‘શુક્લપક્ષ'ની અનુપમ ઉજ્જ્વલા રજની છે... અનંત ગુણોની કળાથી આત્માનો ચાંદ ખીલી ઊઠ્યો છે... બસ નિરખ્યા જ કરો.. મિનિટબે મિનિટ નહિ... કલાક-બે કલાક નહિ.નિરંતર... સદૈવ નિરખ્યા કરો... એ સદોદિત ચાંદને અનંતકાળ નિરખ્યા કરો...’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માના શુદ્ધ સ્વરૂપનું-અનંત ગુણમય સ્વરૂપનું ધ્યાન કઠિન કર્મોના મર્મને છેદી નાખે છે. મલિન વાસનાઓનાં મૂળિયાં ઊખેડી નાખે છે. જ્યાં સુધી એ વાસ્તવિક અનંતગુણમય સ્વરૂપની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી એ સ્વરૂપનું ધ્યાન અને એ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થઈ, સન્ધિવાનન્દ્ર ની પ્રાપ્તિ થઈ, પછી સારુંયે વિશ્વ પૂર્ણ દેખાશે... પૂર્ણતાથી હરી-ભરી ચેતનસૃષ્ટિનું દર્શન થશે. એવું પૂર્ણતાનું દર્શન કરવા માટેનો ક્રમિક પુરુષાર્થ આઠ અષ્ટકોમાં આ રીતે જાણવા મળે છે : પૂર્ણતાની દૃષ્ટિ, જ્ઞાનાનંદમાં મસ્તી, ચિત્તનું સ્વસંપત્તિમાં સ્થિરીકરણ, મોહત્યાગ, તત્ત્વજ્ઞતા, કષાયોનો ઉપશમ, ઇન્દ્રિયવિજય અને સર્વત્યાગ.
'पूर्णो मग्नः स्थिरोऽमोहो, ज्ञानी शान्तो जितेन्द्रियः त्यागी' આ રીતે ક્રમશઃ સર્વોચ્ચ શિખરે પહોંચી જવાય.
காக
bo
For Private And Personal Use Only