________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગ ક્ષાયોપથમિક ધર્મો પણ ચાલ્યા જાય... અને ક્ષાયિક ગુણો પ્રગટી જાય.
પરંતુ જ્યાં ચૌદમા ગુણસ્થાનકે આત્માએ આરોહણ કર્યું. ત્યાં યોગનિરોધ કરવા દ્વારા સર્વ યોગોનો પણ ત્યાગ કરી દેવામાં આવે છે; આ સર્વ યોગોના ત્યાગને પણ “યોગસંન્યાસ' કહેવામાં આવે છે. આ યોગસંન્યાસ આયોજ્યકરણ કર્યા બાદ કરવામાં આવે છે. “દ્વિતીયો યો સંચાર માયોપેઝરVIટૂર્ણ ગીત (યો દ્રષ્ટિ સમુચ્ચય) સયોગીકેવળી સમુદૂધાત કરતાં પહેલાં આયોજ્યકરણનો આરંભ કરે છે. કેવળજ્ઞાન વડે અચિન્ય વીર્યશક્તિથી ભવોપગ્રાહી કર્મને (અઘાતી કર્મન) તેવા પ્રકારની સ્થિતિમાં આણીને ક્ષય કરવાની ક્રિયા આયોજ્યકરણ કહેવાય છે. કાયાદિયોગનો ત્યાગ કરવાથી શૈલેશી અવસ્થામાં અયોગ' નામના સર્વસંન્યાસરૂપ સર્વોત્તમ યોગની પ્રાપ્તિ થાય છે.
આ રીતે નિર્ગુણ બ્રહ્મ' ઘટી જાય છે. ઔપાધિક ધર્મયોગનો અભાવ, તે જ નિર્ગુણતા! બાકી આત્મામાંથી તેના સ્વાભાવિક-ક્ષાયિક ગુણો ક્યારેય જાય નહિ. જો તે પણ જતા હોય તો ગુણના અભાવમાં ગુણીનો પણ અભાવ થઈ જાય પણ તેમ નથી. ઔદયિક અને ક્ષાયોપશમિક ગુણોનો જ્યારે અભાવ થઈ જાય છે, એ ચાલ્યા જાય છે, ત્યારે આત્મા તે ગુણોથી રહિત બને છે. નિર્ગુણ કહેવાય છે અને આ રીતે અન્ય દર્શનકારોની નિર્ગુણ બ્રહ્મની કલ્પના ઘટી જાય છે, પરંતુ તેનામાં ક્ષાયિક ગુણો રહેલા હોવાથી તે સગુણ પણ છે.
આ સર્વ ત્યાગનું લક્ષ નિરંતર રાખીને... આપણે વર્તમાનમાં ઔદયિક ભાવોના ત્યાગનો પુરુષાર્થ કરવાનો છે.
वस्तुतस्तु गुणैः पूर्णमनन्तर्भासते स्वतः ।
रूपं त्यत्कात्मनः साधोर्निरभ्रस्य विधोरिव ।।८।।६४ ।। અર્થ : વાદળાંરહિત ચન્દ્રની જેમ ત્યાગવંત સાધુનું સ્વરૂપ પરમાર્થથી અનન્ત ગુણોથી પૂર્ણ સ્વયં ભાસે છે.
વિવેચન : એક પણ વાદળ નહિ... સ્વચ્છ આકાશ.. પૂર્ણિમાની રજની અને સોળે કળાએ ખીલેલો ચાંદ...! જોયું છે આ દૃશ્ય? દૃષ્ટિને અનિમેષ રાખીને, એ દૃશ્યના સૌન્દર્યનું પાન કર્યું છે? એ તો ક્યારેક કર્યું હશે.. અને પાછા અતૃપ્ત બની ગયા હશો.. એ મસ્તીમાં ઓટ આવી ગઈ હશે! આવો,
* જુઓ પરિશિષ્ટ ૯. # જુઓ પરિશિષ્ટ ૮.
For Private And Personal Use Only