SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૦ વેરાગ્ય : ખોટો-સાચો ૯. વૈરાગી સાધક, આઠ પ્રકારના પદો ગર્વ)નું મર્દન કરી નાંખે છે. અર્થાત્ વૈરાગી માણસને જાતિનો, કુળનો, રૂપનો, બળનો, લાભનો, બુદ્ધિનો, જનપ્રિયત્નો તથા શ્રતનો મદ હોતો નથી. કારણ કે તેઓ આત્મભાવમાં જાગ્રત હોય છે અને સાત્ત્વિક પ્રકૃતિના હોય છે. ૧૦.વૈરાગી સાધક ઈર્ષ્યા-અસૂયાથી દૂર રહે છે. વૈરાગીના શુદ્ધ મનમાં ઈર્ષ્યા-અસૂયાના કીડા પ્રવેશી શકતા નથી. એમના મુખેથી ક્યારેય કોઈની નિંદાનાં વચનો નીકળતાં નથી. એમના મનમાં પણ કોઈના પ્રત્યે અરુચિ કે અણગમો હોતાં નથી. વૈરાગી ક્યારેય નિંદક ન હોય. નિંદક હોય તે સાચો વૈરાગી ન હોઈ શકે. બીજા જીવોના હિતનો જ વિચાર કરનારા વૈરાગી સાધકો બીજા જીવોના જેમ દોષ જોતા જ નથી, તેમ દોષ બોલતા પણ નથી. ૧૧. વેરાગી સાધકો હંમેશાં સમતામૃતના સરોવરમાં સ્નાન કરતા રહે છે. શામ્યશતકમાં કહ્યું છે : “નિરામપપ્રત્યે સેવસ્વ સમતાસુધા' મોક્ષપદની પ્રાપ્તિ માટે સમતામૃતનું પાન કરો.” આવા સમતામૃતની પ્રાપ્તિનો ઉપાય બતાવતાં કહ્યું છે : योगग्रन्थमहाम्भोधिमवमथ्य मनोमथा। साम्यामृतं समासाद्य सद्यः प्राप्नुहि निर्वृतिम् ।।९७।। હે આત્મન ! યોગગ્રંથોના મહાસાગર – મનના રવૈયાથી મંથન કર અને સમતારૂપ અમૃતને પ્રાપ્ત કરી પરમ સુખને પામ.' વૈરાગી સમજે છે કે “મન “પારા' જેવ ચંચળ છે. તે છતાં પારાને બાંધવો, સ્થિર કરવો સહેલો છે, પણ મનને બાંધવું, સ્થિર કરવું ઘણું દુષ્કર છે. છતાં એ મનને સામ્ય-સમતાગણની દિવ્ય ઔષધિથી બાંધી શકાય છે” વૈરાગીનું મન આ રીતે સમતા-ગુણથી સ્થિર બનેલું હોય છે. ૧૨. વૈરાગી આત્મા નિરંતર ચિદાનંદમય આત્મસ્વરૂપમાં રમણતા કરતો હોવાથી અચલ બનેલો હોય છે. સામ્યભાવથી સ્થિર થયેલું મન આત્મસ્વરૂપના ચિંતનમાં લય પામે છે. આ રીતે વૈરાગી સાધક - વાસનાઓ ઉપર વિજય મેળવે છે, For Private And Personal Use Only
SR No.008911
Book TitleLay Vilay Pralay
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy