________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈરાગ્ય : ખોટો-સાચો કરે. દંભી હોય પોતાનાં પાપોને છુપાવે. ખૂબ ધર્મક્રિયા કરવાનો દેખાવ કરે.
આવા સાધુને ગુણો ન ગમે. બીજાઓના ઉપકાર ભૂલી જાય. કર્મબંધનો વિચાર ન કરે. અધીર, ઉદ્ધત અને અવિવેકી હોય. એની ધર્મશ્રદ્ધા માંદી હોય.
આ મોહમૂલક વૈરાગ્ય ન તો ઇન્દ્રિયવિજય અપાવે કે ન કષાયવિજયી બનવા દે. આ વૈરાગ્ય તો રાગ-દ્વેષનો જ પિતરાઈ ભાઈ છે.
ચેતન, સાચો વૈરાગ્ય હોય છે જ્ઞાનમૂલક, “અધ્યાત્મસાર 'માં આ વૈરાગ્યનું વિશદ મર્મસ્પર્શી અને વાસ્તવિક વર્ણન કરવામાં આવેલું છે. સાચો વૈરાગી કેવો હોય, તેનું વર્ણન આ પ્રમાણે છે : ૧. વેરાગી સૂક્ષ્મ દૃષ્ટિવાળો હોય, કારણ કે ધર્મ યથાર્થરૂપે આ સૂક્ષ્મદૃષ્ટિવાળી
સાધક જ સમજી શકે છે. (ધર્મો સૂવુદ્ધિહ્ય) આ સૂક્ષ્મ પ્રજ્ઞા કોઈને
જન્મસિદ્ધ હોય છે તો કોઈને પ્રયત્નસાધ્ય હોય છે. ૨. વૈરાગી સાધક મધ્યસ્થ હોય, ઉદાસીન ભાવવાળો હોય. અર્થાતુ તેનામાં (૧) રાગ-દ્વેષની તીવ્રતા ન હોય (૨) અત્તરાત્મ ભાવમાં રહે અને (૩) કુર્તકો ન કરે. મધ્યસ્થ પુરુષને યુક્તિ ગમે. તેથી તે પક્ષપાતી ન હોય, જે યુક્તિયુક્ત હોય, તેને જ માને. પક્ષનો, સંપ્રદાયનો, પંથનો કે ગચ્છનો પક્ષપાત આવા વૈરાગીને ન હોય. મધ્યસ્થ સાધક પુરુષ એમ સમજે છે કે “વિશ્વમાં કોઈની નિંદા ન કરવી. પારિષ્ઠ પણ નિંદનીય નથી. ભવસ્થિતિનો વિચાર કરવો જોઈએ' બીજી વાત એ સમજે છે કે કોઈ આપણી પ્રશંસા કરે છે, તે એના કર્મથી પ્રેરિત થઈને! કોઈ આપણી નિંદા કરે છે, તે પણ તેના કર્મથી પ્રેરિત થઈને!
આપણે શા માટે રાગ-દ્વેષ કરવા? ૩. વૈરાગી મનુષ્ય સર્વત્ર (સર્વે જીવોનું હિતચિંતન કરનારો હોય. અર્થાત્
પરિર્વિતા મૈત્રી' - આ મૈત્રીભાવથી એ ભાવિત હોય. એ સમજે છે કે સર્વે જીવો મારા મિત્ર છે, મારો કોઈ શત્રુ નથી' એટલે વૈરાગી જન કોઈનું અહિત વિચારે નહીં. અહિતકારી બોલે નહીં અને અહિતકારી પ્રવૃત્તિ કરે
નહીં. ૪. વૈરાગી મનુષ્ય ધર્મક્રિયાનો આદર કરનારો હોય. ક્રિયામાર્ગ એને ગમતો
હોય. ભલે એ એકબે ક્રિયા ઓછી પણ કરતો હોય, છતાં ક્રિયાઓ પ્રત્યે
અનાદર ન હોય. ૫. વૈરાગી મનુષ્ય એકલપેટો ન હોય. એ સ્વયં જેમ મોક્ષમાર્ગ પર ચાલતો હોય
For Private And Personal Use Only