________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
લય-વિલય-પ્રલય (૨) બદ્ધ : આત્મપ્રદેશો સાથે કર્મોનું વિશિષ્ટ બંધન. જેમ અનેક સોયોને એક
સાથે સજ્જડ રીતે બાંધી દેવામાં આવે. (૩) નિધત્ત : આત્મા સાથે કમ જાણે એકમેક જેવાં થઈ જાય. જેમ તપાવેલી
સોયો એકબીજા સાથે ચોંટી જાય. (૪) નિકાચિત : આત્માની સાથે કર્મો ક્ષીર-નીરની જેમ એકમેક થઈ જાય.
જેમ સોયોને ગરમ કરી એને કૂટી નાંખવામાં આવે, કોઈ સોયનું અલગ
અસ્તિત્વ દેખાય જ નહીં, તેની જેમ. ૭. આ રીતે કર્મોને બાંધતો જીવાત્મા હજારો-લાખો યોનિઓમાં જન્મે છે અને
કરે છે. વારંવાર દેવ-મનુષ્ય-તિર્યંચ અને નરક ગતિમાં જન્મ-જરા અને મૃત્યુ દ્વારા વિવિધ પ્રકારે, વિવિધ આકારોમાં પરિભ્રમણ કરતો રહે છે. અનંત ભ્રમણાઓમાં અટવાયેલો રહે છે. આવો ભ્રાન્ત જીવ કષાયોનો શિકાર બનતો રહે છે. ૮. આઠે કર્મોને બાંધતો - નિકાચિત કરવો જીવાત્મા, નિરંતર ૮૪ લાખ
યોનિમાં પરિભ્રમણ કરતો, ભ્રમણાઓમાં ભ્રમિત થતો, કષાયોની ક્રૂરતાનો ભોગ બની જાય છે. જ્યાં સુધી જીવાત્મા કર્મો બાંધતો રહે, કર્મોથી ભારે થતો રહે છે અને શત-સહસ્ત્ર ગતિઓમાં જન્મ-મૃત્યુ પામતો ભટકતો રહે છે વિવિધ રૂપોને ધારણ કરે છે અને ત્યાં સુધી કષાયોથી જકડાયેલો રહે
૯. આ રીતે અસંખ્ય દુઃખો, યાતનાઓ... વેદનાઓ નિરંતર સહન કરતો બિચારો જીવાત્મા કેવો પામર.. દુર્બલ અને કૃશકાય બની જાય છે! ચાર ગતિનાં અનંત અનંત દુઃખો સહીને એની સહનશક્તિનો અંત આવી ગયો હોય છે. જ્યારે એનાથી દુઃખો સહ્યાં જતાં નથી ત્યારે એ રોષથી ભભૂકી
ઊઠે છે. દીનતાથી રડી પડે છે. ૧૦ શું અનંત દુઃખોથી ટિપાઈ ગયેલે જીવાત્મા કષાય કરી શકે? હા, એને
જોઈતાં હોય છે સુખ! વૈપયિક સુખ! પાંચ ઇન્દ્રિયોના મનગમતા પદાર્થો! એ વૈષયિક સુખોની તીવ્ર પ્યાસને અનુભવતો ચારે દિશાઓમાં ભટકતો હોય છે અને વૈપયિક સુખોનાં ખારાં-કડવાં પાણી પીવાની લત લાગી ગઈ, પછી માણસ એ પુનઃ પુનઃ પીએ છે. અને પુનઃ પુનઃ તરસ્યો થાય છે. વિપયિક સુખોની રંગીલી ગલીઓમાં ભટકતા જીવોને કપાયો ધીબી નાંખે છે. રફેદફે કરી નાંખે છે. આવા જીવાત્માઓ ક્રોધી હોય, માની હોય,
For Private And Personal Use Only