________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કષાય-ઉત્પત્તિનાં ૧૦ કારણો વિચાર ચાલ્યા કરે. જ્યારે એને મનગમતા પદાર્થો ખાવા-પીવા ન મળે ત્યારે એના ધમપછાડા જુઓ! ગુસ્સો-દ્વેષ... વૈર આદિની સીમા જ નહીં. અને મનગમતા પદાર્થો મળી ગયા તો એના ચાળા જુઓ! કેટલી આસક્તિ! કેટલી મૂર્છા? કેટલો રાગ અને કેટલી લંપટતા? આ સંજ્ઞાના પાપે મોટા મોટા ઋષિમુનિઓની પણ દુર્ગતિ થઈ શકે છે. તો પછી સામાન્ય માણસની
વાત જ શી કરવી? II, ભયસંજ્ઞાની ભીંસમાં આવેલો જીવ શું કષાયોથી બચી શકે? ના રે ના, ભય
ક્યારે ઉત્પન્ન થાય છે? રાગ થાય કે દ્વેષ જન્મે ત્યારે! ઇહલૌકિક અને પારલૌકિક ભયોની ભૂતાવળ વળગે એટલે મન પર કષાયો સવાર થઈ જ
જાય. III. પરિગ્રહની સંજ્ઞામાં જકડાયેલા જીવોની તો કષાયો ઘોર કર્થના કરતા રહે છે. સ્થાવર-જંગમ સંપત્તિને મેળવવા અને મેળવેલી સંપત્તિની સુરક્ષા કરવા મનુષ્ય શું નથી કરતો? ઈર્ષા, દ્વેષ, વેર વગેરે દોષો એના જીવનમાં સહજ-સ્વાભાવિક બની જતા હોય છે. માયા-કપટ-દગાખોરીમાં એ પાવરધો (એસ્પટ) બની જાય છે. માન અને સન્માનની તીવ્ર તાણ હંમેશાં એને
સતાવતી રહે છે. પરિગ્રહી માણસ કષાયી હોવાનો જ. IV. ચોથી સંજ્ઞા છે મૈથુનસંજ્ઞા. આ સંજ્ઞા ઘણા અનર્થોનું મૂળ છે. સર્વવિનાશની
ભયંકર ચિનગારી છે. સેક્સ (મથુન)ની પ્રબલ સંજ્ઞા પ્રદીપ્ત થયા પછી મન શું કષાયથી બચી શકે? વાસનાની તૃપ્તિનું પાત્ર મેળવવાની ઝંખના લોભકષાય છે. એ પાત્ર સરળતાથી ન મળે ત્યારે માયા-કપટથી કે ગમે તે ઉપાયે મેળવવાની યોજના માયાકષાય છે. પાત્ર ન મળતાં અથવા વાસનાને તાબે નહીં થતાં, પાત્ર ઉપર ક્રોધ-રોષ કે રીસ આવી જાય છે તે ક્રોધકષાય છે અને જ્યારે મનગમતું શ્રેષ્ઠ પાત્ર મળી જાય છે ત્યારે અભિમાન-કષાય જાગે છે. આ રીતે સંજ્ઞાઓના સકંજામાં સપડાયેલું મન કષાયોથી કલુષિત
બને છે. ૬. મનને કષાયુક્ત બનાવશું છછું કારણ કર્યો છે. જીવાત્મા આઠ કર્મોના ક્રૂર નિયંત્રણ નીચે છે, આ વાત તમે જાણો છો? એ આઠ કર્મોનું નિયંત્રણ ચાર
પ્રકારે જીવ પર લદાયેલું છે. તે ચાર પ્રકારો આ પ્રમાણે છે : (૧) પૃષ્ઠ : આત્મા પ્રદેશો સાથે કર્મોનું સામાન્ય જોડાણ. જેમ સોયમાં પરોવેલો
દોરો.
For Private And Personal Use Only