________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કષાય-ઉત્પત્તિનાં ૧૦ કારણો ૩. જ્યારે પાંચ ઇન્દ્રિયો દ્વારા મન હિંસા આદિ પાંચ મહાપાપોના કીચડમાં રગદોળાઈ ગયું કે “આર્તધ્યાન અને “રૌદ્રધ્યાન'ના મરણિયા હુમલા શરૂ થઈ જાય છે. આ બે દુર્ગાનના મજબૂત ભરડામાં મન ચોળાઈ-ગૂંથાઈ જાય
ઋત” એટલે દુઃખ. “ઋત” એટલે સંક્લેશ. એમાંથી જે વિચાર જન્મે તેને આર્ત' કહેવાય. આર્તધ્યાનમાં હોય છે માનસિક દુ:ખ, પીડા અને વેદના. અપ્રિય વિષયો વળગ્યા હોય છે ત્યારે એ વળગાડમાંથી છૂટવાની તીવ્ર ઇચ્છા, શું માનસિક વેદના નથી? પ્રિય વિષયનો સંયોગ હોય છે ત્યારે “આ વિષયો મારી પાસેથી ચાલ્યા ન જાય', આવી માનસિક ચિંતા શું મનની પીડા નથી? જ્યારે શરીર રોગોથી ઘેરાઈ ગયું હોય છે ત્યારે શું એ વેદના અનુભવાતી નથી? અને જ્યારે કોઈ મોટા ઉદ્યોગપતિઓની સંપત્તિ જોઈને મને પણ બીજા જન્મમાં આવી સંપત્તિ મળો” અને તે માટે પોતાની તપશ્ચર્યાની બાજી લગાવી દેવી, તે શું માનસિક તાણ નથી? આ બધું આર્તધ્યાન છે. આ આર્તધ્યાન જ્યારે સતત ચાલતું રહે છે, તીવ્ર તીવ્રતર-તીવ્રતમ બનતું જાય છે ત્યારે “રૌદ્રધ્યાન' મેદાને જંગમાં ખાબકે છે. જીવાત્મામાં રહી-સહી ગુણસંપત્તિને આ રૌદ્રધ્યાન તારાજ કરી મૂકે છે. ચાર-ચાર મોરચે આ રૌદ્રધ્યાન સર્વભક્ષી જ્વાળાઓ ઓકે છે અને મનની ખંડિત-જર્જરિત ભાવ-ઇમારતને ભસ્મીભૂત કરી નાંખે છે. આ રૌદ્રધ્યાનના
ચાર પ્રકારો બતાવાયા છે : (૧) જીવોની હત્યા કરી નાંખવાની તીવ્ર અને એકાગ્ર વિચાર – એ “હિંસાનુબંધી
રૌદ્રધ્યાન” કહેવાય. (૨) “આ ઉપાયથી બીજાને ઠગી શકાય', આવા પર-વંચનાના વિચારોથી
એકતાન થઈ જવું એ મૃષાનુબંધી રૌદ્રધ્યાન' કહેવાય. (૩) ધાડ પાડીને, ચોરી કરીને, ખાતર પાડીને, ખિસ્સાં કાપીને...જે જે પ્રકારે
બીજાઓની ધન-સંપત્તિ પડાવી શકાય, તેના એકાગ્રપણે જે વિચારો કરાય
તેને “સ્તેયાનુબંધી રૌદ્રધ્યાન' કહેવાય. (૪) દિવસ ને રાત મનની એક જ રટણા... એક જ ચિંતન.. એક જ ધ્યાન
કે ધન-ધાન્યનું સરંક્ષણ કેવી રીતે કરવું! તે સંરક્ષણના વિચારોમાં જે હિંસાના ઉપાયોનું તીવ્રતાપૂર્વક ચિંતન કરે, તે “સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન' કહેવાય. આ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનની નિકૃષ્ટ વિચારધારામાં વહ્યો
For Private And Personal Use Only