________________
Shri Mahavir Jain Aradhana Kendra
TE
www.kobatirth.org
3. બે દૃષ્ટાંત : એક નવું, એક જૂતું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રિય આત્મસાધક,
સસ્નેહ આત્મવંદન.
તારો પત્ર મળ્યો, આનંદ થયો.
હવે ‘ધ્યાન’માં મન થોડું થોડું સ્થિર થાય છે અને આંતરિક પ્રસન્નતા વધે છે . જાણીને સંતોષ થયો. આ આરાધનાનો લય જાળવી રાખજે. વચ્ચે વચ્ચે ખલેલ ન પાડતો.
આજે મારે તને એક એવા દંપતીનો પરિચય કરાવવો છે કે જેમનું ગૃહસ્થજીવન લયપૂર્ણ હતું અને જેમના જીવનની પ્રશંસા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સ્વયં કરી હતી. જોકે એવા લયપૂર્ણ જીવનની કળા પ્રભુએ જ એ દંપતીને આપી હતી.
૦ નાનકડું ઘર.
૦ નાનકડી દુકાન.
જ
પરિવારમાં બે જ સભ્યો હતા, પતિ અને પત્ની. ધર્મ સમાન, રુચિ સમાન, સ્વભાવ સમાન અને બંનેનું ગુણાત્મક વ્યક્તિત્વ.
૦ એક દિવસ માટે જેટલું જોઈએ એટલું જ કમાવાનું.
૦ એક દિવસ પતિ ઉપવાસ કરે, એક દિવસ પત્ની ઉપવાસ કરે.
૦ રોજ એક અતિથિ-સાધર્મિકને જમાડવાનો.
૦ રોજ બંનેએ સામાયિક (સમતાભાવ) કરવાનું.
૦ સામાયિકમાં જાગૃતિપૂર્વક જ્ઞાન અને ધ્યાન કરવાનું.
૦ કાયા સ્થિર, વચન મૌન, વિચારો વિશુદ્ધ (સામાયિકમાં).
૦ ન્યાય-નીતિથી પણ વધારે નહીં કમાવાનું, એક દિવસ પૂરતું જ કમાવાનું અને એમાં સંતોષ.
૦ બીજા દિવસની જરાય ચિંતા નહીં. એવું દૃઢ મનોબળ.
૦ અંતરમાં ભરપૂર આનંદ!
૦ ભગવાન મહાવીરદેવ પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા ને શરણાગતિ.
For Private And Personal Use Only