________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
9. સ્કંદડાથાર્થ છે
શ્રીરામ, લક્ષ્મણ અને સીતા વનવાસનાં વર્ષોમાં “દંડકારણ્ય'માં “મહગિરિ' નામના પહાડની ગુફામાં થોડા દિવસ રહ્યાં હતાં.
એક દિવસ, મધ્યાહ્ન સમયે આકાશમાર્ગે બે તેજસ્વી મુનિવરો ગુફાના દ્વારે ઊતરી આવ્યા. બંને મુનિવરો બે-બે મહિનાના ઉપવાસી હતા. આજે એમને પારણું હતું. સીતાજીએ ઉચિત અન્ન-પાણીની મુનિવરોને ભિક્ષા આપી. દેવોએ રત્નોની વૃષ્ટિ કરી, સુગંધી જળ વરસાવ્યું.
સુગંધી જળની સુવાસથી આકર્ષાઈ એક પક્ષી ત્યાં આવ્યું. ગુફાની પાસે જ એક વિશાળ વૃક્ષ પર એ પક્ષીનો વાસ હતો. તે પક્ષી ઘણા સમયથી રોગી હતું. પક્ષીએ મુનિવરોનાં દર્શન કર્યા. તેણે અવર્ણનીય આનંદ અનુભવ્યો. તેને એવો અનુભવ થયો કે “મેં ક્યાંક આવા સાધુ જોયેલા છે. મનમાં ઊહાપોહ થતાં તેને ત્યાં જ “જાતિસ્મરણજ્ઞાન” થયું. પૂર્વભવની સ્મૃતિ થઈ આવી. તે મૂચ્છિત થઈ ભૂમિ પર પડી ગયું.
સીતાજી મૂચ્છિત પક્ષી પર શીતલ જળનો છંટકાવ કરવા લાગ્યાં. પક્ષીની મૂર્ધા દૂર થઈ ગઈ. પક્ષી મુનિવરના ચરણોમાં જઈને પડ્યું. મુનિચરણના સ્પર્શમાત્રથી પક્ષી નીરોગી બની ગયું. તેની પાંખો હેમમયી બની ગઈ. તેની ચાંચ વિદ્ગમ સમાન બની ગઈ. તેના પગ પારાગ-રત્ન જેવા બની ગયા. આખું શરીર જાણે વિવિધ રત્નો જડેલાં હોય તેવું તેજસ્વી બની ગયું. તેના માથે રત્નસદશ જટા થઈ ગઈ. ત્યારથી એ પક્ષી “જટાયુ' નામે પ્રસિદ્ધ થયું.
શ્રીરામે મુનિરાજને પૂછયું : “હે મહર્ષિ, આ ગીધ પક્ષી કે જે માંસાહારી છે, મડદાં પર જ એની દૃષ્ટિ હોય છે, એ આપના ચરણસ્પર્શથી કેવી રીતે નીરોગી બની ગયું? અત્યંત કદરૂપા અવયવો ક્ષણવારમાં સ્વર્ણ-રત્નમય કેવી રીતે બની
ગયા?'
સુગુપ્ત નામના એ મહર્ષિએ શ્રીરામના પ્રશ્નનું સમાધાન કરતાં કહ્યું : હે નરશ્રેષ્ઠ, ઘણાં વર્ષો પહેલાંની વાત છે.
આ સ્થળે પૂર્વકાળે “કુંભકારકટ' નામનું નગર હતું. તેનો રાજા હતો દંડક. તમે એક વાત યાદ રાખજો કે ગીધ પક્ષીનો જીવ જ એ દંડક રાજા હતો.'
મહર્ષિએ વાતને આગળ લંબાવી..
For Private And Personal Use Only