________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૫૮
आत्मवत् सर्वभूतेषु
કરી એ જીવોને મિચ્છામિ દુક્કડં આપવાનું છે. આ રીતે એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય જીવો સાથે એકત્વનો લય સધાય છે. દરેક વિશુદ્ધ આત્મદ્રવ્ય સ્વરૂપની અપેક્ષાએ એક જ છે. આ એકત્વનું અસ્તિત્વ મનુષ્ય સાધી લે તો સકલ જીવસૃષ્ટિ સાથે લયસાધના શરૂ થઈ જાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ જ રીતે, મિત્તિ મે સબ્વે નીર્વસુ' -‘સર્વે જીવો મારા મિત્ર છે,' આ વાત પણ સમગ્ર જીવસૃષ્ટિ સાથે આપણી ચેતનાને જોડી દે છે... મિત્રતાના દોરામાં પરોવાઈ જાય છે સર્વે જીવો! આપણા વ્યક્તિત્વ ઉપર અસ્તિત્વનું પ્રભુત્વ સ્થપાઈ જાય તે લયની સિદ્ધિ છે.
‘સપ્લે નીવા ન દંતવ્યા' - મારે કોઈ જીવનું હનન કરવું નથી, કેમકે ‘મિત્તિ મે સવ્વ મૂત્તું' - બધા જીવો મારા મિત્ર છે!
છતાં ભૂલ થાય તો ‘મિચ્છામિ દુš’ - મારું દુષ્કૃત મિથ્યા થાઓ... અને એ જીવો મને ‘સવ્વુ ઝીવા સ્વતંતુ મે' - ક્ષમા આપો! હું સર્વે જીવોની ક્ષમા માંગું છું!
સર્વે જીવોને મિત્ર માન્યા પછી, એમની પાસે ક્ષમા માગવામાં સંકોચ ન રહે. એ જીવો ક્ષમા આપવામાં ઉદાર જ હોય! મિત્રો પ્રત્યે તો ઉદાર વલણ જ હો!
આત્મજ્ઞાનીમાં જીવો પ્રત્યે આ રીતે સમત્વ પ્રગટે. સમત્વયુક્ત આત્મજ્ઞાની આત્માનુભવરૂપ લય-વિલય અને પ્રલય પામવા યોગ્ય અને અધિકારી બને છે. કુશળ રહે. તા. ૧૨-૫-૯૮
ધ્યુમ્નસૂરિ
///\/\
For Private And Personal Use Only