________________
Shri Mahavir Jain Aradhana Kendra
લય-વિલય-પ્રલય
૧૪૭
આપણામાં પડેલી શક્યતાઓનો કોઈ પાર નથી. અને એ શક્યતાઓ વ્યક્ત કરતા ચાર અર્થગર્ભ શબ્દો છે : કવિ, મનીષી, પરિભૂઃ અને સ્વયંભૂ.
જ્યારે અહીં ‘સ્થિતપ્રજ્ઞતા'ની વાત આવી છે, ત્યારે એ સ્થિતપ્રજ્ઞતા કેવી હોય તેનો વિચાર પણ સાથે સાથે કરી લઈએ.
બધા દુન્યવી વ્યવહારોમાં ભાગ લેતો હોવા છતાં જેનામાં આકાશ જેટલી નિર્લેપતા હોય,
- સુખ હોય કે દુ:ખ, જેના મનની સ્થિતિ બદલાતી નથી.
જે પોતાનામાં સતત જાગે છે, અને એનું ડહાપણ વસ્તુઓના વળગણથી મુક્ત હોય,
- જેની બુદ્ધિ ‘અકર્તૃત્વભાવ’થી રસાયેલી હોય.
- જેનાથી લોકો ઉદ્વેગ નથી પામતા અને લોકોથી જે ઉદ્વેગ નથી પામતા.
- ચિત્તની બધી ઇચ્છાઓ નષ્ટ થાય અને આત્મભાવમાં સંતુષ્ટ થાય.
- ‘મારું’ ‘તારું’ ‘તેનું’ આવા ભેદભાવથી પર હોય, - જે પોતાના બ્રહ્મસ્વરૂપમાં લયલીન હોય.
આવા જીવનમુક્ત આત્માઓ નિર્મમત્વભાવથી મુક્તિ પામે છે. સાપની કાંચળી નિર્જીવપણે સાપના દરમાં પડી રહે છે, એને દર પ્રત્યે કોઈ મોહ જાગતો નથી. એ જ રીતે બ્રહ્મમગ્ન મુનિઓને પોતાના શરીર પ્રત્યે કોઈ મોહભાવ રહેતો નથી.
-
www.kobatirth.org
આ જ વિષયમાં, વરાહ ઉપનિષદના ચોથા અધ્યાયમાં ઋભુ નામના ઋષિએ જીવનમુક્ત આત્માની સાત ભૂમિકાઓ બતાવી છે :
ભૂમિકાઓ નીચે મુજબ છે.
પ્રથમ ભૂમિકા
બીજી ભૂમિકા
ત્રીજી ભૂમિકા
ચોથી ભૂમિકા
- પાંચમી ભૂમિકા
- છઠ્ઠી ભૂમિકા
-
:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
:
:
શુભેચ્છા (સારી ઇચ્છાઓનો ઉદય)
વિચારણા (જીવનશોધન)
તનુમાનસી (મનની સૂક્ષ્મતાનો પરિચય)
: સત્ત્વાપત્તિ (સત્ત્વની પ્રાપ્તિ)
:. અસંસક્તિ (અસંગ, અનાસક્તિ)
પદાર્થભાવના (ભૌતિક પદાર્થોનું વિશ્લેષણ)
For Private And Personal Use Only