________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
લય-વિલય-પ્રલય
કરતા કિસાનોને બલાત્કારે ખેતી કરાવતી નથી.
-
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦ જેમ મેઘગર્જનાને સાંભળીને બગલીને ગર્ભાધાન થાય છે કે પ્રસવ થાય છે, પરંતુ સ્વયં બગલી પ્રસવ ન કરે તો મેઘગર્જના બલાત્કારે પ્રસવ કરાવતી નથી.
૦ જેમ ધર્મોપદેશ સાંભળીને મનુષ્ય પાપત્યાગ કરે છે, પરંતુ મનુષ્ય પાપત્યાગ ન કરતો હોય તો ધર્મોપદેશ બલાત્કાર કરીને પાપત્યાગ નથી કરાવતો. આ રીતે જીવ અને પુદૂગલની ગતિ-સ્થિતિમાં ધર્મ-દ્રવ્ય અને અધર્મ-દ્રવ્ય સહજતાથી સહાયક બને છે, બલાત્કારે નહીં. તાત્પર્ય એ છે કે ધર્મ, અધર્મ અને આકાશ આ ત્રણ દ્રવ્યો પ્રેરક કારણ નથી, પરંતુ ઉદાસીન કારણ છે. તેમનું અસ્તિત્વ જ કાર્ય કરે છે.
હવે થોડો વિચાર પુદ્ગલ-દ્રવ્યનો પણ કરી લઈએ.
પુદ્ગલ-દ્રવ્યનાં અનેક કાર્યો છે. પરંતુ અહીં થોડાં જ કાર્યો બતાવીશ. અલબત્ત, પુદ્ગલદ્રવ્ય અચેતન છે, તે અ-કર્તા છે, છતાં એ કાર્ય કરે છે, આવો વાક્યપ્રયોગ માત્ર ઔપચારિક છે.
૧૨૧
જીવાત્મા જે મૃદુ-કઠોર આદિ સ્પર્શ અનુભવે છે, એ પુદ્ગલ-દ્રવ્યનો પ્રભાવ છે. ખાટો-મીઠો રસ અનુભવે છે, તે પુદ્ગલ-દ્રવ્યનો જ ઉપકાર છે. સુગંધદુર્ગંધનો અનુભવ પુદ્ગલ-દ્રવ્યનું પ્રદાન છે. લાલ-પીળો આદિ રંગો જે દેખાય છે અને મંદ-તીવ્ર આદિ શબ્દો સંભળાય છે, તે બધું પુદ્ગલ-દ્રવ્યનું કામ છે. કારણ કે સ્પર્શ-રસ-ગંધ-વર્ણ-શબ્દ વગેરે પુદ્ગલ-દ્રવ્યના ગુણો છે.
કર્મપુદ્ગલોનો આત્મપ્રદેશો સાથે ક્ષીરનીરન્યાયે જે બંધ થાય છે, પુદ્ગલ-દ્રવ્યનું કાર્ય છે.
૦ અનંતપ્રદેશી પુદ્ગલ-સ્કંધોનું સૂક્ષ્મ થવું અને સ્થૂલ થવું, એ પુદ્ગલનું કાર્ય છે. ૦ આકાશમાં જે વાદળ થાય છે, ઇન્દ્રધનુષ રચાય છે, તે પણ પુદ્ગલ-દ્રવ્યનું કાર્ય છે.
Q ખંડ થવા, ટુકડા થવા એ પુદ્ગલનું કામ છે.
૦ અંધકાર ને છાયા પણ પુદ્ગલ-દ્રવ્યનું કાર્ય છે.
9 ચન્દ્ર તારા વગેરેના પ્રકાશ-ઉર્થાત, પુદ્ગલનું કાર્ય છે.
For Private And Personal Use Only
૦ સમચતુરસ્ર સંસ્થાન-આકારો (શરીરના) જે રચાય છે, તે પુદ્ગલ-દ્રવ્યનું સર્જન છે.
તે પણ