________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩
લય-વિલય-પ્રલય - બે મહિનાનું અનશન કર્યું. - સમાધિમૃત્યુ પામ્યા. - પહેલા દેવલોકમાં દેવ-પર્યાયે ઉત્પન્ન થયા.
ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછ્યું : “હે ભગવનું, દેવલોકમાંથી ચ્યવીને આનંદ શ્રાવક ક્યાં જન્મ લેશે? ભગવાને કહ્યું : “એ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામી, એ જ ભવમાં મોક્ષ પામશે.”
૦ ૦ ૦ ચેતન, આનંદ શ્રાવકની એકાંત-આરાધનામાં તને મહત્ત્વપૂર્ણ વાતો કઈ સમજાણી? ત્રણ વાતો મહત્ત્વની બની હતી.
- અધ્યવસાયો શુભ-શુદ્ધ બન્યા હતા. - મનઃપરિણામ શુભ-શુદ્ધ બન્યાં હતાં. - લેક્ષાઓ શુદ્ધ બની હતી.
ધ્યાનની આ મહત્ત્વપૂર્ણ ફળશ્રુતિ છે. આવી ફળશ્રુતિ પ્રાપ્ત કરવા માટે ધર્મધ્યાન'ની ચાર અનુપ્રેક્ષાઓ ખૂબ ઉપયોગી બને. એ ચાર અનુપ્રેક્ષાઓ આ પ્રમાણે છે :
૧. અનિત્ય ભાવનાનું ચિંતન, ૨. અશરણ ભાવનાનું ચિંતન, ૩. એકત્વ ભાવનાનું ચિંતન, ૪. સંસારભાવનાનું ચિંતન.
આ ચાર ભાવનાઓને વારંવાર ચિંતન કરવાથી ધર્મધ્યાન ઉજ્વલ રહે છે ને આત્મસાતું બની જાય છે.
ધર્મધ્યાન'ની મુખ્ય ચાર ચિંતનધારાઓ બતાવવામાં આવી છે : ૧. આજ્ઞા-વિચય : “આપ્તપુરુષનું વચન જ પ્રવચન છે.' આ આજ્ઞા છે. આ
આજ્ઞાનો અર્થનો નિર્ણય કરવો, તેને “વિચય' કહેવાય છે. ૨. અપાય-વિચય : મિથ્યાત્વાદિ આસવોમાં, સ્ત્રીકથાદિ વિકથાઓમાં, રસાદિ
ગારવામાં, ક્રોધાદિ કષાયોમાં, પરિષહાદિ નહીં સહવામાં.. આત્માને જે નુકસાન થાય છે, તેનું ચિંતન કરી, દઢ નિર્ણય હૃદયમાં સ્થાપિત કરવો. ૩. વિપાક-વિચય : અશુભ અને શુભ કર્મોના વિપાક-પરિણામનું ચિંતન કરી, ‘પાપથી દુઃખ અને પુણ્યથી સુખ.” આવો નિર્ણય હૃદયસ્થ કરવો.
For Private And Personal Use Only