________________
નામચીન કે નામાંકિત ?
એ માણસનું નામ કોના મોઢે નહોતું એ પ્રશ્ન હતો કારણ કે એ માણસ નામચીન હતો. એનું નામ સાંભળવા માત્રથી લોકો ડરતા હતો.
એ માણસ નામાંકિત હતો કારણ કે સત્કાર્યોની વણઝાર એ જ તો એની જીવનશૈલી હતી. અને એટલા જ માટે લોકો એનું નામ પૂર્ણ આદર સાથે લેતા હતા. જવાબ આપો. કઈ દિશા તરફ અત્યારે આપણું જીવન ચાલી રહ્યું છે? મનમાં જાગતી તમામ ઇચ્છાઓ જો સફળ બની જાય તો આપણને પદવી કઈ મળે ? નામચીનની કે પછી નામાંકિતની ? યાદ રાખજો, નામચીનને લોકો ઓળખે છે જ્યારે નામાંકિતને તો લોકો ચાહે છે!