________________
પ્રભુદર્શન કે નામસ્મરણ ?
ધંધો એ વધારવા માગતો હતો, એ માટે એને બહાર ફરવું જ પડે તેમ હતું. ઘરમાં ફોન હતો ખરો પણ આખો દિવસ ઘરમાં બેસી રહેવાથી ધંધો થાય તેમ નહોતો. મોબાઇલ ફોન એણે વસાવી લીધો! કબૂલ, પ્રભુનાં દર્શન કરતા રહેવાના ભાવ એના મનમાં ગજબના હતા પણ મુશ્કેલી એ હતી કે દેરાસર એના ઘરથી ૩ કિલોમીટર દૂર હતું. એક દિવસમાં દેરાસર તો કેટલી વાર જઈ શકાય? જવાબ આપો. આ ભાઈ તમે જ હો. તમે શું કરો ? ફોનના સ્થાને રહેલ પ્રભુપ્રતિમાનાં દર્શન એકવાર કરીને મોબાઇલના સ્થાને રહેલ
પ્રભુનું નામસ્મરણ વારંવાર કરતા રહો ને?
७४