________________
મન ભલે ઠેકાણે ન હોય કાયાને તો ઠેકાણે જ રાખજો
પરીક્ષામાં બાબો પાસ ન પણ થતો હોય તો ય પપ્પા એના, એને સ્કૂલે તો મોકલતા જ રહે છે. કમ સે કમ બાબો ગમે ત્યાં રખડતો તો ન રહે! ઘરાકો ન પણ આવતા હોય તો ય બાપ પોતાના યુવાન દીકરાને દુકાને તો મોકલતા જ રહે છે. કમ સે કમ એનું મન ધંધામાં ચોટેલું તો રહે! કબૂલ, કાયા મંદિરમાં હોય છે ત્યારે યમન ક્યારેક બજારમાં ભટકતું હોય છે. કાયા તપમાં જોડાયેલી હોય છે ત્યારે ય મનમાં ક્યારેકખાવાનાવિચારો ચાલતા હોય છે. જવાબ આપો. આમ છતાં ય ધર્મારાધના આપણે પ્રસન્નચિો ચાલુ જ રાખીએ
છીએ એ નક્કી ખરું? કાયા ધર્મમાં જોડાયેલી રહે એ લાભ પણ જેવો-તેવો નથી એ આપણી શ્રદ્ધા મજબૂત ખરી?