________________
ભવ-ભાવ-સ્વભાવ
ડુક્કરને વિષ્ટા ગૂંથતું જોયું છતાં એના પ્રત્યે
હૃદયમાં તિરસ્કારનો ભાવ ન જાગ્યો. કારણ ? વિષ્ટા સૂંઘવાની એની ક્રિયા એના ‘ભવ’ ને આભારી છે એમ માનીને મનનું સમાધાન કરી લીધું. દારૂના નશામાં ચૂર રહેલા દારૂડિયાના મુખમાંથી અપશબ્દો નીકળ્યા અને છતાં એના પ્રત્યે દ્વેષ ન જીગ્યો. કારણ? અપશબ્દો બોલવાની એની ચેષ્ટાને સ્વભાવ’ ખાતે ખતવીને મનનું સમાધાન કરી લીધું. જવાબ આપો.
ચાલુ સંયોગમાં કો’ક વ્યક્તિના આપણા પ્રત્યેના ગલત વર્તાવને આપણે એના બગડેલા ‘ભાવ’ ખાતે
ખતવીને મનનું સમાધાન કરી શકીએ છીએ ખરા ? ભવ-ભાવ-સ્વભાવ, ત્રણે ય વિપરીત વર્તન કરાવી જશકેછેને?
૫૯