SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પાત્રતા વિનાનો પુણ્યોદય ? દુર્ગતિમાં મોકલી દેશે. હોજરી સરસ હોવા છતાં જેને ભોજનમાં રોટલો જ મળે છે એની આપણને કાંઈ દયા નથી આવતી પરંતુ હોજરી જેની એકદમ નરમ હોય છે એને ભોજનમાં જ્યારે ગુંદરપાક મળે છે ત્યારે એ જોઈને આપણા મોઢામાંથી હાયકારો નીકળી જાય છે. ‘અ૨૨૨) આનું યો શું ?' જવાબ આપો. આપણા જીવન માટે આપણી મનઃસ્થિતિ શી છે ? યોગ્યતા સરસ હોવા છતાં પુણ્ય અલ્પ હોય એની આપણને વ્યથા કે યોગ્યતાના ક્ષેત્રે કડાકો બોલાયો હોય અને સામે પુણ્ય પ્રચંડ ઉદયમાં આવતું હોય એની આપણને વેદના પ્રયાસ આપણા કયા ક્ષેત્રના ? યોગ્યતાને વિકસિત કરવાના ક્ષેત્રના કે પુણ્યને વધુ ને વધુ હૃદયમાં લાવતા રહેવાના ક્ષેત્રના? યાદ રાખો. નબળી હોજરીમાં ગુંદરપાક હોસ્પિટલમાં જ મોકલશે, પાત્રતા વિનાનો પુણ્યોદય તો દુર્ગતિમાં જ રવાના કરી દેશે. સાવધાન!
SR No.008909
Book TitleLaboratary
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy