________________
પાત્રતા વિનાનો પુણ્યોદય ? દુર્ગતિમાં મોકલી દેશે.
હોજરી સરસ હોવા છતાં જેને ભોજનમાં રોટલો જ મળે છે એની આપણને કાંઈ દયા નથી આવતી પરંતુ હોજરી જેની એકદમ નરમ હોય છે એને ભોજનમાં જ્યારે ગુંદરપાક મળે છે ત્યારે એ જોઈને આપણા મોઢામાંથી હાયકારો નીકળી જાય છે. ‘અ૨૨૨) આનું યો શું ?'
જવાબ આપો.
આપણા જીવન માટે આપણી મનઃસ્થિતિ શી છે ? યોગ્યતા સરસ હોવા છતાં પુણ્ય અલ્પ હોય એની આપણને વ્યથા કે યોગ્યતાના ક્ષેત્રે કડાકો બોલાયો હોય અને સામે પુણ્ય પ્રચંડ ઉદયમાં આવતું હોય એની આપણને વેદના
પ્રયાસ આપણા કયા ક્ષેત્રના ? યોગ્યતાને વિકસિત કરવાના ક્ષેત્રના કે પુણ્યને વધુ ને વધુ હૃદયમાં લાવતા રહેવાના ક્ષેત્રના?
યાદ રાખો. નબળી હોજરીમાં ગુંદરપાક હોસ્પિટલમાં જ મોકલશે, પાત્રતા વિનાનો પુણ્યોદય તો દુર્ગતિમાં જ રવાના કરી દેશે. સાવધાન!