________________
મમ્મણ શેઠ !
તમે યાદ આવી અને એ જ પર્વે સાતમી નરક યાદ આવી જાય, ૩૩ સાગરોપમના આયુષ્યવાળી સાતમી નરક. પ્રત્યેક સમયે શરીરમાં જ્યાં પ,૬૮,૯૯,૫૮૪ રોગો હાજર રહીને આત્માને ાલિમ રિબામણ આપી રહ્યા છે એ સાતમી નરક. પ૦ ધનુષ્યની અવગાહનાવાળી કાયા જ્યાં લમણે ઝીંકાય છે એ સાતમી નરક, જ્યાં મિથ્યાત્વ સાથે જ જન્મવાનું હોય છે અને મિથ્યાત્વને લઈને જ મરવાનું હોય છે એ સાતમી નરક.
આવી નરકમાં તમે એ સ્થળેથી આવી રહ્યા છો કે જે સ્થળે પરમાત્મા મહાવીરદેવ ચૌદ-ચૌદ ચાતુર્માસ કર્યા છે. જે તારકનું એક પણ વચન સાંભળવાનું સદ્ભાગ્ય જેને મળે એ આત્મા પોતાની સદ્ગતિ કે પરમગતિ નક્કી કરી દે એ તારકે જે સ્થળમાં દેશનાના ધોધના ધોધ વહાવ્યા છે અને અનેક આત્માઓને સદ્ગતિ-પરમગતિના ભાજન બનાવ્યા છે એ સ્થળેથી તમે સાતમી નરકમાં આવી ચૂક્યા છો.
બગીચામાં રહેવાનું સદ્ભાગ્ય જેને મળ્યું હોય એ માણસ જો દુર્ગંધનો જ અનુભવ કરી રહ્યો હોય તો એમ માનવા મન પ્રેરાય કે એના નાકમાં જ કંઈક ગરબડ હશે, નદીની બાજુમાં જ ઊભા રહેલાનું ગળું જો તૃષાથી સુકાઈ રહ્યું હોય તો માનવું પડે કે એ નદીના પાણીની તાકાત અંગે એ બેખબર જ હશે. બસ, એ જ ન્યાયે જગતના અગણિત જીવોને જે પ્રભુનાં દર્શન-વંદન દુર્લભ જ છે, પ્રભુના વચનોનું શ્રવણ તો એથી ય વધુ દુર્લભ છે એ પ્રભુનાં દર્શન-વંદન-શ્રવણ બધું ય તમને સુલભ હતું અને તો ય તમારું સાતમી નરકમાં થઈ ગયેલ પ્રસ્થાન મનને એમ માનવા પ્રેરે છે કે તમારામાં જ કોક લિમ ગરબડ હશે.
શું લખું ?
મગધ સમ્રાટ મહારાજા શ્રેણિક જે શાલિભદ્રના આવાસે ગયા હતા એ શાલિભદ્ર સંયમજીવન અંગીકાર કરીને કાળ કરીને સર્વાર્થ સિદ્ધ વિમાનમાં પહોંચ્યા છે, જે પુળિયા શ્રાવકના આવાસે ગયા હતા એ પુળિયો શ્રાવક કાળ કરીને સદ્ગતિમાં પહોંચ્યો છે જ્યારે તમારું ઘર એ જ મહારાજા શ્રેણિકના પગલાથી ધન્ય બન્યું હતું છતાં તમે મરીને સાતમી નરકમાં આવી ચડ્યા છો !
પણ. એનું કારણ શાસ્ત્રનાં પાને જે વાંચવામાં આવ્યું છે એ આ મુજબ છે.
ગત જન્મમાં તમારે ત્યાં પંચ મહાવ્રતધારી એક મુનિ ભગવંત ગોચરી વહોરવા આવ્યા છે અને એમનાં દર્શને તમે પાગલ પાગલ બની ગયા છો. ‘મારા જેવા અભાગીને ત્યાં સામે ચડીને આ કલ્પતરુનાં પગલાં ? હું તો ધન્ય બની ગયો !'
બન્યું છે એવું કે ક્યાંકથી તમારે ત્યાં સિંહ કેસરિયો મોદક આવ્યો છે અને તમે ભારે ઉછળતા હૈયે મુનિભગવંતના પાત્રમાં એ સિંહકેસરિયો મોદક વહોરાવી દીધો છે.
પણ, થોડાક જ સમય બાદ તમારે ત્યાં આવી ચડેલ પડોશીએ તમને પૂછ્યું છે,
‘કાકા ! પેલો લાડવો ખાધો ?'
‘ના’ કેમ ક
‘એ તો હમણાં ઘરે ગોચરી વહોરવા મુનિ ભગવંત પધાર્યા હતા ને, એમના પાત્રામાં વહોરાવી દીધો ! ખૂબ
८