________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું જે કંઈપણ છું એ ગુરૂના આશીર્વાદ અને કૃપાથી છું. મારામાં જે કંઈ છે એ એમનું આપેલું છે, મારું કંઈ નથી. “આખું જગત સાંપ્રત સમયમાં ભયથી
ભરેલું છે. પરંતુ વૈરાગ્ય એક એવી વસ્તુ છે, જ્યાં કોઈ ભય નથી પણ પૂર્ણતયા અભયતા છે.” “આ જગતમાં ભલે ભૌતિક સમૃદ્ધિનું આકર્ષણ તમને હોય, પરંતુ પુણ્યોદયથી કદાચ દેવલોક મળી જશે, તો પણ ત્યાં આત્મશાંતિ નથી, એમ શાસ્ત્રકાર ભગવંતો કહે છે. મોટા મોટા ચક્રવર્તીઓ આવ્યા અને ચાલી ગયા. ભૌતિક સમૃદ્ધિ એ દિવાસ્વપ્ન છે. એમાં કંઈ તથ્ય કે સત્ય નથી.” આજે આખું જીવન ભયથી ભરેલું છે. સાધુ જીવન એવું છે કે જ્યાં ચોરીનો ભય નથી. તમે એક સામાન્ય બે રૂપિયાનો પ્લાસ્ટીકનો લોટો લાવશો, અને રસ્તા પર મૂકશો તો એ પબ બીજે દિવસે ગાયબ થઈ ગયો હશે. એની સામે સાધુનું એક પાત્ર મૂકી જોજો. કોઈ એને અડશે પણ નહીં. સાધુ પાસે એવી કોઈ વસ્તુ હોતી નથી કે જે એની શાંતિનો ભંગ કરે. સાધુ પાસે એવી કોઈ કિંમતી વસ્તુ હોતી નથી કે જેથી લોકોએ એ લેવાનું કે ચોરી કરવાનું મન થાય. સંતોને તો સદાય દિવાળી હોય છે. નિશ્ચિત જીવન હોય છે. આવનારૂ ભવિષ્ય પણ ઉજ્વળ હોય છે. સદ્ગતિ સાધુનું સ્વાગત કરવા હંમેશા તૈયાર જ હોય છે. “જગત જીતવાવાળા ઘણા મોતથી હારીને જતા રહ્યા છે. સમ્રાટ સિકંદર પણ ખાલી હાથે ચાલ્યો ગયો છે. તમને જે કંઈ મળ્યું છે એનો સંતોષ નથી અને નથી મળ્યું એની ચિંતામાં વર્તમાન જીવન દુઃખી કરી રહ્યા છો અને પીડાઈ રહ્યા છો. પર વસ્તુમાં સ્વની કલ્પના કરીને વગર કારણે દુઃખને
આમંત્રણ આપો છો, અને દુર્બાન કરો છો.' વિતરાગી સાધુને મનમાં પણ સંસાર હોતો નથી. સાધુ જેવો સુખી આ સંસારમાં કોઈ નથી. સાધુએ એક ઘર છોડ્યું હોય છે, પણ સાધુને તો જ્યાં વિચરણ કરે, ત્યાં દરેક ઘર એવું બની જાય છે. સંયમનું પોષણ કરવાવાળા બધા સાધુને માટે તો માતા-પિતા તુલ્ય હોય છે. આ બધો સંયમનો પ્રભાવ છે. સાધુને તો છોડ્યું થોડું અને મળ્યું ઘણું એવી સ્થિતિ પ્રવર્તે છે. સાધુ જીવનમાં પ્રમાણિકતા જોઈએ. આત્મસાક્ષી અને પરમાત્મ સાક્ષીએ આરાધના થવી જોઈએ. સાધુ જીવન ખજૂરના વૃક્ષ જેવું છે. સંયમ પથમાં સાધુ
૪૭
For Private And Personal Use Only