SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગમે એટલું એને ડૂબાડો, તો પણ એ ડૂબશે નહીં પણ ઉપર તર્યા કરશે. જે વ્યક્તિ પરમાત્માના તત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત કરી લે એ પછી સંસારમાં ક્યાંય ડૂબશે નહીં. તત્ત્વ એ ટોનીક છે.’ ‘આજે આટલા બધા ગુન્હાઓ થાય છે, બધા જ ક્ષેત્રોમાં આટલી બધી અવ્યવસ્થાનું મૂળ કારણ આજના શિક્ષણના અભ્યાસક્રમમાં મૂળથી જ ધાર્મિક શિક્ષણનો અભાવ છે. આજના શિક્ષણમાં કોઈ ઉચ્ચ આદર્શ નથી કે જેમાંથી કોઈ પ્રેરણા મળે. ધર્મના શિક્ષણનો તો આજના શિક્ષણમાં સદંતર અભાવ જોવા મળે છે. મહાપુરૂષોના જીવન ચરિત્રો નાના બાળકોને પહેલેથી જ વાંચી સંભળાવો તો એનાથી સારા સંસ્કાર સુદઢ બનશે. વર્ષોથી એવું નથી કર્યું એના પરિણામ આજે સ્પષ્ટ જોઈ શકાય છે.’ અખંડ ભારતના બંગાળ પ્રાંતના એક વિશ્વવિદ્યાલયના વડા તરીકે શ્રી મુખરજી કામ કરતા હતા. તેમને તે વખતે અંગ્રેજ વાઇસરોય તરફથી વિદેશ મોકલવા માટે કહેવામાં આવતાં તેઓ જવાબ આપે છે કે તેઓ તેમના માતુશ્રીને પૂછીને પછી આવતીકાલે એનો જવાબ આપશે કે વિદેશ જવું કે નહીં. શ્રી મુખરજી ઘેર જાય છે. वृद्ध અને અભણ એવા માતૃશ્રીને, અંગ્રેજ સરકાર તરફથી તેમને વિદેશ જવા માટે કહેવામાં આવ્યું છે તે અંગે રજા માંગે છે. માતુશ્રી પરદેશમાં દિકરાના સંસ્કારો સચવાશે કે નહી તેવો બધો ઘણો વિચાર કર્યા પછી ના પાડે છે. શ્રી મુખરજી બીજે દિવસે નિયત સમય મુજબ પોતાની ઓફીસમાં જાય છે. તે વખતે તેઓ કદાચ અંગ્રેજ સ૨કા૨/વાઇસરોય નારાજ થઈ જશે, તો રાજીનામું આપી દઈશ, એવી મનોમન તૈયારી સાથે રાજીનામું પણ પોતાના હાથથી લખીને ખિસ્સામાં રાખ્યું હોય છે. વાઇસરોય શ્રી મુખરજીને બોલાવે છે ત્યારે માનભેર શ્રી મુખરજી પોતાની માતાની અનિચ્છા હોવાને કારણે પરદેશ જવાની વાતનો સવિનય અસ્વીકાર કરે છે અને રાજીનામું વાઇસરોયના હાથમાં મૂકે છે. શ્રી મુખરજીની ‘માતૃભક્તિ જોઈને વાઇસરોય પણ ઝૂકી જાય છે અને તેમને છાતી સરસા ચાંપી દે છે અને ધન્યવાદ આપે છે. વાઇસરોય કહે છે કે આવા સંસ્કારોનો તેમને ત્યાં ઇગ્લેંડમાં દુકાળ છે, આવા સંસ્કારોની ત્યાં બહુ જરૂર છે.’ સ્વાધ્યાય અને ધર્મશિક્ષણનો પ્રભાવ આ દાખલામાં સ્પષ્ટપણે જોઈ ૨૮ For Private And Personal Use Only
SR No.008904
Book TitleJivan Yatra No Rajmarg
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherVishwa Maitri Jain Tirth Borij
Publication Year2005
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy