________________
જીવવિચાર પ્રકરણ
૫૩ ૩. દરેક જીવનું જીવન એવું હોવું જોઈએ કે જેથી કોઈની સાથે
વેર ભાવ ન વધે અને કોઈને કે પોતાને દુઃખ ન થાય. કોઈની હિંસા ન થાય, એવી રીતે સંયમપૂર્વક રહેવું જોઈએ.
દુ:ખ નહી આપનારા જ દુઃખ ન ભોગવનારા જીવો તરીકે જગતમાં સારા અને સુખી ગણાય છે. સુખી થવાની ઇચ્છા દરેકને હોય છે. આ જગતમાં દુઃખના અનેક કારણોમાંનું મુખ્યમાં મુખ્ય કોઈ પણ કારણ હોય તો તે હિંસા જ છે. તે જ બધા દુ:ખનું ઊંડામાં ઊંડું મૂળ છે. એ જ પ્રમાણે દુઃખમાંથી છુટવાના સાધનોમાં મુખ્યમાં મુખ્ય કોઈ પણ સાધન હોય તો તેને અહિંસા જ છે. તે જ સર્વ સુખનું ઊંડામાં ઊંડ મૂળ છે, આ સિદ્ધાંતમાં કોઈનો પણ મતભેદ પડે તેમ નથી. જૈન ધર્મની બધી ક્રિયાઓ સીધી કે આડકતરી રીતે અહિંસાને જીવનમાં ઉતારવાની સાધનાના પ્રયોગો જ છે. તેથી જ અહિંસા એ જૈનધર્મનો મુખ્ય આધાર સ્થંભ છે, પ્રાણ છે.
અથવા જેમ તલમાં તેલ, દૂધમાં ઘી તેમ સર્વ આચારોમાં ગુંથાઈ ગયેલું-સર્વ આચારોનું મુખ્ય તત્ત્વ અહિંસા છે.
ધર્મની માતા અહિંસા છે, અહિંસા ધર્ષણ નનની | હિંસા નવઘણો ધખો ધર્મનું લક્ષણ અહિંસા છે.