________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩૪.
જૈન રામાયણ શ્રી રામે કહ્યું : “પ્યારા લંકાવાસીઓ! અમે અહીં છ વર્ષ રહ્યાં, અમને છ ક્ષણ જ લાગી છે, જ્યારે અમારી માતાઓ માટે છ ક્ષણ છ વર્ષ જેટલી બની ગઈ છે. એ ઉપકારી જનનીઓ અને લધુભ્રાતા ભરત, અમારા વિરહથી વ્યાકુળ બની ગયાં છે. માટે તમે સહુ અમને અનુમતિ આપો. લંકા, લંકાપતિ બિભીષણ અને લંકાના પ્યારા પ્રજાજનો ક્યારેય નહીં ભુલાય.”
સોળ દિવસોને વીતતાં કેટલીક વાર લાગે! અયોધ્યાથી શિલ્પીઓ પાછા આવી ગયા. બિભીષણે પુષ્પક વિમાનને સજાવવા આજ્ઞા કરી. પુષ્પકવિમાનમાં અનેક રત્નો અને કિંમતી વસ્તુઓ બિભીષણે છુપાવીને મૂકી દીધી.
0
0
0
For Private And Personal Use Only