________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८४
જૈન રામાયણ રાવણના ભક્તિજલભર્યા જલધિમાં વેગ આવ્યો. પુનઃ તેણે મુનિવરનાં ચરણોમાં મસ્તકસ્પર્શ કરી કૃતકૃત્યતા અનુભવી.
રાવણને “રાક્ષસ' તરીકે નિહાળતા મનુષ્ય માટે રાવણના આ જીવનપ્રસંગો દીવાદાંડીરૂપ છે. રાવણના ઉચ્ચ વ્યક્તિત્વને સમજવાની તક આ જીવનપ્રસંગો આપે છે.
પુષ્પક વિમાનમાંથી રાવણનું અંતઃપુર અને પરિવાર વગેરે રાવણની પાસે ઉપસ્થિત થઈ ગયા. રાવણ બધાની સાથે ત્યાંથી ભરતેશ્વરે નિર્માણ કરેલા અનુપમ જિનચૈત્ય તરફ ગયો.
ચન્દ્રહાસ વગેરે શસ્ત્રોને બહાર મૂકી તે અંદર ગયો. પભદેવથી માંડી વીર-વર્ધમાનસ્વામી પર્યન્ત ચોવીસ તીર્થંકરોની અષ્ટપ્રકારી પૂજા કરી.
પછી ભાવપૂજા શરૂ કરી. રાવણે હાથમાં વીણા લીધી. વીણાના તારો ઝણઝણી ઊઠ્યા. અંતઃપુરની રાણીએ ઝાંઝરના ઝમ કાર સાથે કોકિલકંઠના કમનીય સૂરો છેડ્યા, વીણાના સૂરો સાથે કંઠના સૂરોનું મિલન થયું અને ભક્તિરસની છોળો ઊછળવા માંડી.
સમય વીતતો જાય છે, રાવણના દિલનું દર્દ દીનાનાથના દિલને ભીંજવી દેવા મથી રહ્યું છે. રાવણની સૃષ્ટિમાં ફક્ત નાથ તીર્થકર દેવ સિવાય કોઈ નથી. પરમાત્મસૃષ્ટિની પરમ માધુરીમાં મસ્ત બની રાવણ ડોલી રહ્યો છે.
બીજી બાજુ જિનાલયના એકાંત ખૂણામાં ઊભો ઊભો એક દિવ્યપુજ્ય રાવણમાં લીન બની ગયો હતો. રાવણની જિનભક્તિ પર એ દિવ્યપુરુષ આફરીન બની ગયો હતો.
એ હતો ધરણેન્દ્ર.
એ પણ તીર્થની યાત્રા કરવા માટે આવ્યો હતો, પરંતુ જ્યાં તેણે જિનાલયના ભવ્ય કારમાં પ્રવેશ કર્યો ત્યાં જ તેના કાને દિવ્ય ભાવપૂજાના સૂરો પડ્યા. પછી તો એ ધીમે પગલે એવી રીતે અંદર પ્રવેશ્યો કે કોઇ જાણી ન શકે. રાવણે જ્યાં પૂજા પૂર્ણ કરી ત્યાં ધરણેન્ટ બોલ્યો :
રાવણ! તે કમાલ કરી ! અરિહંતના ગુણોનું તેં જે કીર્તન કર્યું તે અદ્ભુત છે! તારા પર હું તુષ્ટ થઈ ગયો છું!” “ના રે ના. હું સ્તવના કરી શકું? હું તો મારા ભાંગ્યા તૂટ્યા ...' “ના ના. તે તને શોભે એવી ભવ્ય ભક્તિ કરી છે કે જે ભક્તિનું ફળ મોટા
For Private And Personal Use Only