________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વવિજયની યાત્રાએ કરીને જંપે નહિ; એના પ્રત્યે શંકાની જ દૃષ્ટિથી જોવાના. એ દોષિત વ્યક્તિને જવાનાં ચશમાં જ જુદાં રાખવાના!
મહામુનિ તો પુનઃ પોતાના ધ્યાનમાં પરોવાઈ ગયા. એમને ક્યાં બીજી ફુરસદ જ હતી!
રાવણની દશા જોવા જેવી થઈ ગઈ. તેના મુખ પરથી પ્રતાપની લાલિમા લય પામી ગઈ, વિદ્યાશક્તિઓનો ગર્વ ઓસરી ગયો અને ઉન્નત મસ્તક નીચું ઢળી પડ્યું. બહાર નીકળી તે સીધો જ ઉપર આવ્યો. પશ્ચાત્તાપપૂર્ણ અંતઃકરણથી તેણે મહામુનિ વાલીનાં ચરણોમાં નમસ્કાર કર્યા. અભિમાનનો હિમાલય પશ્ચાત્તાપના પ્રખર તાપથી પાણી પાણી થઈ મહામુનિનાં ચરણોનું પ્રક્ષાલન કરી રહ્યો.
“પ્રભુ! નિર્લજજ બની વારંવાર મેં આપના અપરાધ કર્યા છે. આપ મહાન શક્તિશાળી હોવા છતાં મહાત્મા બની આપે પરમકૃપાથી તે અપરાધોને સહન કર્યા...' રાવણનો કંઠ શપાયો. પરંતુ આજે મહામુનિની સમક્ષ લંકાપતિ રાવણ તરીકે નહિ, પરંતુ એક નિકૃષ્ટ અપરાધી તરીકે ગુનાઓનો એકરાર કરવા તલસી રહ્યો છે.
‘આપે રાજ્ય છોડ્યું, કુટુંબ છોડ્યું, તે આપનામાં શક્તિ નથી માટે નહિ, પરંતુ મારા પરની કરુણાથી જ; એ વાત મને આજે બરાબર સમજાઈ. આજે આપના અને મારા વચ્ચેના અંતરનું મને ઠીકઠીક ભાન થયું, આપ જો એક વિરાટકાય પર્વત છો તો હું એક રાફડા જેવો છું. આપ જો ગરુડના સ્થાને છો તો હું એક તુચ્છ ગીધના જેવો છે. ખરેખર, મોતના જડબામાં ચવાઈ જતા મને આજે આપની સર્વોત્તમ કૃપામય દૃષ્ટિએ જ ઉગાર્યો છે. અપકારી પ્રત્યેની પણ આપની આ મહાનું ઉદારવૃત્તિને મારાં કોટિ કોટિ વંદન છે...'
ભક્તિભરપૂર વચનોથી મહામુનિના ગુણોનું કીર્તન કરી, પોતાના અપાર અપરાધોની ક્ષમા યાચી, લંકાપતિએ મહામુનિને ત્રણ વાર પ્રદક્ષિણા દઈ, વારંવાર વંદના કરી.
મહામુનિ તો કેવલ્યની નજીકમાં હતા! રાગ અને દ્રપને નામશેપ પ્રાયઃ કરી નાંખ્યા હતા. મહામુનિ ઉવલ આત્માએ અમરલોકના અમરોન પણ આફર્યા. તીર્થરક્ષા અને જીવરક્ષા કરવાની પ્રશસ્ત અભિલાષા, રાગ કે ય વિના રાવણને કરેલી શિક્ષા, રાવણ નમતો આવ્યો છતાં એના પર એટલી જ સમભાવદશા... દેવોએ ઉપરથી પુષ્પોની વૃષ્ટિ કરી; પ્રશંસા શબ્દોનો દિવ્યધ્વનિ કર્યો.
For Private And Personal Use Only