________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કલ્પના પર આધારિત અને માનવજીવનનાં ઉચ્ચતમ મૂલ્યોનો નાશ કરનારી હજારો કથા... છપાઈને પુસ્તકોમાં પ્રકાશિત થાય છે... વરઘરમાં એ પુસ્તકો પહોંચી રહ્યાં છે ને રસપૂર્વક વંચાઈ રહ્યાં છે... એના દુષ્પ્રભાવો આજે વિલાસ, સ્વચ્છંદતા, ઉદ્ધતાઇ, દુરાચાર-વ્યભિચાર, અનીતિ અન્યાય... હિંસા, માયા-કપટ.. વગેરે રૂપે વ્યક્તિના જીવનમાં, સામાજીક જીવનમાં અને રાષ્ટ્રીય જીવનમાં પ્રત્યક્ષ જોવા મળે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રામાયણની મહાકથા એવી મહાકથા છે કે એને વાંચનારા મનુષ્ય પર એના સુંદર પ્રભાવા પડ્યા વિના ન રહે. ત્યાગ-વૈરાગ્ય, શીલસદાચાર, ન્યાય-નીતિ, અહિંસા સત્ય-અચૌર્ય-બ્રહ્મચર્ય ઇત્યાદિ ગુણોની
છાયા પડ્યા વિના ન રહે.
શ્રાવણ
કોઇ ઉપદેશ વિના. સીધી જ સળંગ કથા લખી છે... એ મહાકથાનાં પાત્રો જ બોલે છે! એમને જે કહેવું છે તે જ કહેવા દીધું છે! વાંચનારાંઓની રસવૃત્તિ અંત સુધી જાગ્રત રહે અને તે તે પ્રસંગ અને ઘટાની વાચક મૂલવણી કરી શકે, એ રીતે લખવાનો પ્રયત્ન કર્યો છે.
આ પરમપવિત્ર મહાકથાના વાંચનની સહુ જીવાને સન્મતિ પ્રાપ્ત થામાં, મોક્ષમાર્ગ પ્રાપ્ત થાઓ એવી મંગલ અભિલાષા સાથે વિરમું છું.
વિ.સં.૨૦૪૬
For Private And Personal Use Only
- પ્રિયદર્શન