________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નૈવેદ્યમ
વાલ્મિકી રામાયણ અને તુલસીકૃત રામાયણ' વગેરે રામાયણોમાં જે વાતો આપણને વાંચવા નથી મળતી તેવી સત્ય અને વાસ્તવિક વાતો ‘ત્રિષ્ટિશલાકા પુરુષચરિત્ર' ગ્રંથમાં આપણને વાંચવા મળે છે.
રાવણના જન્મથી માંડીને યૌવનકાળ પર્યંતની અનેક અજાણી વાર્તા, રાક્ષસદ્વીપ અને વાનરદ્વીપની અનેક રોમાંચક ઘટનાઓ; હનુમાનનાં માતા અંજનાસુંદરીનું ભાવપૂર્ણ ચરિત્ર... આ બધું અન્યત્ર અપ્રાપ્ય, જૈન રામાયણ ગ્રંથોમાં વિસ્તારથી જાણવા મળે છે.
શ્રી રામના પૂર્વજોનો ભવ્ય ઇતિહાસ, મહારાજા દશરથનો મગવિજય અને વનવાસનો અનંક ઘટનાઓ... બીજી રામાયણોમાં ક્યાં વાંચવા મળે છે?
અલબત્ત, ‘વીરદેવ’ અને ‘અંજલિ'નાં પાત્રો આ રામાયણમાં કાલ્પનિક લીધેલાં છે, પરંતુ મગધ-વિજય મહારાજા દશરથે કરેલાં, એ તદન સત્ય વાત છે.
રામાયણનાં વિવિધ પાત્રો અને ભવ્ય આદર્શો માનવના જીવનનાં તમામ ક્ષેત્રોને સ્પર્શે છે. મનુષ્ય પોતાના જીવનને ઉન્નત, ભવ્ય અને નિર્મળ બનાવવાના સંકલ્પથી જો રામાયણનું અધ્યયન કરે, તો એને રામાયણ બધું જ પુરું પાડી શકે એમ છે. શૌર્ય, ધૈર્ય, ત્યાગ, તપશ્ચર્યા, કર્તવ્યપાલન, શીલરક્ષા, સદાચાર ઇત્યાદિ માનવોચિત અનેક સદ્ગુણોને મેળવવા, રક્ષવા અને વૃશ્રિંગત કરવા માટે રામાયણનો ગ્રંથ અદ્ભુત આલંબન બની શકે છે.
આજે મનુષ્યને તત્ત્વગ્રંથો, ઉપદેશગ્રંથા કે ફિલોસોફીના ગ્રંથો કરતાં કથાગ્રંથો વાંચવા વધુ પ્રિય છે. વૃદ્ધિ-યુવાન-બાલ સહુને કથાઓ વાંચવી ગમે છે, જેવી કથા તેવા ભાવ વાંચકના મનમાં પ્રગટ છે, તેવા વિચારો બને છે અને દૃઢ થાય છે. અધમ પાપવૃત્તિઓને ઉત્તેજનારી,
For Private And Personal Use Only