________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફ૮
જૈન રામાયણ યમ મરણિયો થઈને ઝઝૂમી રહ્યો હતો. દેશમુખને હંફાવવા તણે બાણોના વરસાદ વરસાવ્યો. પણ દશમુખે ય ક્યાં ગાંજ્યો જાય એવો હતો.! તણે એવાં તીર ફેકવા માંડ્યાં કે યમનાં તીર વચ્ચેથી જ ચૂરેચૂરા થઈ ગયાં! યમ યમદંડ લઈને ત્રાટક્યો. રાવણે “ક્ષરપ્ર” શસ્ત્રથી ક્ષણવારમાં તે દંડના ભૂકા ઉડાવી દીધા. ફરીથી યમે બાણ છોડવા માંડ્યાં. એવાં છોડડ્યાં કે આકાશ બાણોથી છવાઈ ગયું! દશમુખ છેડાઈ પડ્યો! તેનો મિજાજ ગયો. અત્યાર સુધી તો તે યુદ્ધને એક રમત ગણીને લડી રહ્યો હતો, પરંતુ હવે તેણે અલ્પકાળમાં જ યુદ્ધનો અંત લાવવાનો નિર્ધાર કર્યો. તેણે એવા જોરથી બાણોનો મારો ચલાવ્યો કે યમના અંગેઅંગમાં તીક્ષા તીરો ભોંકાઈ ગયાં. યમનું સૈન્ય ત્રાસ ત્રાસ પોકારી ગયું. યમ મુંઝાયો. તેણે વિચાર્યું;
નાહક કમોતે મરવું પડશે. આમેય આ રાજ્ય ક્યાં મારું છે! “જીવતો નર ભદ્રા પામે..' માટે અહીંથી ઇન્દ્રની પાસે પહોંચી જવું એ જ શ્રેયકર છે.' યમ ભાગ્યો. સીધો રથનૂપુર પહોંચ્યો. ઇન્દ્રની સામે અંજલિ જોડીને કહ્યું:
સ્વામી! તમારા યમપણાને આજે તિલાંજલિ આપું છું. મારે આવું યમપણું નથી કરવું. તમે રાજી થાઓ કે નારાજ થાઓ પણ હવે, ત્રાસ ત્રાસ પોકારી ગયો છું. દશમુખ જમનો પણ જમ પાક્યો છે!' “શું કર્યું તેણે?' યમની વાતોથી વિહ્વળ બની ગયેલા ઇન્ડે પૂછ્યું.
અરે ગજબ કરી નાંખ્યો...” ‘એ ખરું, પણ શું ગજબ કર્યો, એ કહોને?'
“નરકાવાસના રક્ષકોને મારી ભગાડ્યા, નરકાવાસો તોડી નાંખ્યા, યુદ્ધમાં કેટલાય સુભટોનો સંહાર કર્યો.’
પછી?' પછી? જાણતા નથી? વૈશ્રવણને પરાજિત કરી લંકા લીધી, પુષ્પક વિમાન
લીધું.”
“હું?' લંકા હાથમાંથી ગયાના સમાચાર સાંભળી ઇન્દ્ર સ્તબ્ધ બની ગયો અને સાથે જ આવેશથી ધમધમી ઊઠ્યો.
હા જી રાજન, હવે એ દશમુખ શું નહિ કરે તે...” હું જરાય નહિ ચલાવી લઉં. એ આજ કાલનો છોકરો..”
For Private And Personal Use Only