________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
No
જૈન રામાયણ હતું. દશમુખે સ્ત્રીઓની વિનંતીને માન્ય રાખી. અમરસુંદર વગેરે બધા જ વિદ્યાધરોને બંધનમાંથી મુક્ત કર્યા. વિદ્યાધરોનાં મુખ પ્લાન થઈ ગયાં. નતમસ્તક અંજલિ જોડી યુવાન દશમુખની સામે ઊભા રહ્યા.
હે વીર પુરુષ! ક્ષમા કરો. અમે તમને ઓળખી શક્યા નહિ. તમારા જેવા અજેય પુરુષ અમારા જમાઈ બન્યા, તેનો હર્ષ કરવાને બદલે અમે તમારી સામે યુદ્ધનું પગલું ભર્યું.નમ્રતાભર્યા વચનોથી અમરસુંદર વિઘાધરેશે કહ્યું.
ના રે ના. શાનું અયોગ્ય પગલું? તમે જે કર્યું છે તે યોગ્ય જ કર્યું છે. તમારી અનુજ્ઞા વિના કોઈ અજાણ્યો પુરુષ તમારી પત્રીઓને ઉપાડી જાય અને તમે હાથ જોડી બેસી રહો તો તે તમારા જેવા પરાક્રમી રાજેશ્વરો માટે અયોગ્ય કહેવાય!” રાવણે યથાર્થ ન્યાય તોલ્યો. વિદ્યાધરોને આનંદ થયો. અમે આપને ઓળખી શક્યા નહિ, કૃપા કરીને...' ઓહો! માતા કૈકસીનો હું પુત્ર છું, સુમાલી મારા દાદા થાય! શું તમે જ દશમુખ?' એકીસાથે બધા વિદ્યાધરો પૂછી ઊઠ્યા. પ્રત્યુત્તરમાં રાવણનું મુખ સહેજ મલક્યું. દશમુખની હજાર વિદ્યાઓની સિદ્ધિએ વિદ્યાધરોની દુનિયામાં દશમુખના નામને પરિચિત બનાવી દીધું હતું.
વિદ્યાધરોએ ત્યાં દશમુખનાં ખૂબ ખૂબ અભિવાદન કર્યા. છ હજાર સ્ત્રીઓ પણ પોતાનો પતિ દશમુખ બન્યાં છે, એ જાણતાં હર્ષથી રોમાંચિત બની ગઈ.
વિદ્યાધરો પોતપોતાને નગરે વળ્યા. દશમુખનું વિમાન સ્વયંપ્રભનગર તરફ ઊપડ્યું. સૂર્ય દશમુખને છેલ્લી સલામી આપી અને હસતો હસતો લાલચોળ બની અસ્તાચલ પર ઊપડી ગયો. દશમુખ રાવણના પરાક્રમની આ શરૂઆત! પરાક્રમનો પ્રારંભ સ્ત્રીઓના અપહરણથી! પરાકમનો અંત પણ સ્ત્રીના અપહરણમાં!
સ્વયંપ્રભનગરના ઉદ્યાનમાં દશમુખે વિમાન ઉતાર્યું. છ હજાર પનીઓના કાફલા સાથે દશમુખ નગરમાં પ્રવેશ કર્યો. નગરવાસીઓએ પ્રેમ અને આદરપૂર્વક સ્વાગત કર્યું.
દશમુખ તો માતા કેકસીની પાસે પહોંચ્યો સીધો. દશમુખ કેકસીનાં ચરણોમાં પ્રણિપાત કર્યો. છ હજાર પત્નીઓએ પણ દશમુખનું અનુકરણ કર્યું. કરીએ પ્રેમભર્યા આશીર્વાદ આપ્યા. ઇશારાથી સ્ત્રીઓને માતા પાસે બેસવાનું કહી, દશમુખ પહોંચ્યો મંદોદરી પાસે.
For Private And Personal Use Only